ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ગણિત સહિતના મુખ્ય ચાર વિષયોના ઉત્તરવહીના અવલોકન માટેની ફી માં પચાસ ટકા ઘટાડો કરવામાં આવ્યા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારાધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ગણિત સહિતના મુખ્ય ચાર વિષયોના ઉત્તરવહીના અવલોકનમાટેની ફી માં પચાસ ટકા ઘટાડો કરવામાં આવ્યા છે.બોર્ડની સત્તાવાર યાદી મુજબ ગણિત, ભૌતિક , રસાયણ અને જીવવિજ્ઞાનની ઉત્તરવહીઓના અવલોકન માટેની વિષય દીઠ ફી 300
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારાધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ગણિત સહિતના મુખ્ય ચાર વિષયોના ઉત્તરવહીના અવલોકનમાટેની ફી માં પચાસ ટકા ઘટાડો કરવામાં આવ્યા છે.બોર્ડની સત્તાવાર યાદી મુજબ ગણિત, ભૌતિક , રસાયણ અને જીવવિજ્ઞાનની ઉત્તરવહીઓના અવલોકન માટેની વિષય દીઠ ફી 300 રૂપિયા હતી, તે ગઈકાલથી ઘટાડીને 150 રૂપિયા કરવામાં આવી છે.
26 મે થી અવલોકન અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની શરૂ કરાઈ હતી.26થી 27 મી મે સવારના સાડા દશ સુધીમાં જે વિદ્યાર્થીઓએ વિષય દીઠ 300 રૂપિયા ફીચૂકવી છે, તેવા અરજદારોને તેઓ રૂબરૂ અવલોકન માટે હાજર રહે ત્યારે વિષય દીઠ 150રૂપિયાની પરત ચૂકવણી કરાશે. શિક્ષણમંત્રીએ કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અવલોકન માટેની ફી માં ઘટાડો કરવા કરાયેલા સૂચનને ધ્યાનમાં લઈ બોર્ડે આ નિર્ણય લીધો હતો.
26 મે થી અવલોકન અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની શરૂ કરાઈ હતી.26થી 27 મી મે સવારના સાડા દશ સુધીમાં જે વિદ્યાર્થીઓએ વિષય દીઠ 300 રૂપિયા ફીચૂકવી છે, તેવા અરજદારોને તેઓ રૂબરૂ અવલોકન માટે હાજર રહે ત્યારે વિષય દીઠ 150રૂપિયાની પરત ચૂકવણી કરાશે. શિક્ષણમંત્રીએ કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અવલોકન માટેની ફી માં ઘટાડો કરવા કરાયેલા સૂચનને ધ્યાનમાં લઈ બોર્ડે આ નિર્ણય લીધો હતો.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com