ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
ગૃહમંત્રી અમિત શાહ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ તેમને ડોકટરોની સલાહથી મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગૃહ પ્રધાન અમિત શાહે ખુદ તેમના ટ્વિટર હેન્ડલ પર માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રારંભિક લક્ષણો હોવાના કારણે તેમને કોરોના રિપોર્ટ કરાવ્યો હતો અને પોઝિટ
ગૃહમંત્રી અમિત શાહ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ તેમને ડોકટરોની સલાહથી મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગૃહ પ્રધાન અમિત શાહે ખુદ તેમના ટ્વિટર હેન્ડલ પર માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રારંભિક લક્ષણો હોવાના કારણે તેમને કોરોના રિપોર્ટ કરાવ્યો હતો અને પોઝિટિવ આવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે તેમની તબિયત બરાબર છે પરંતુ ડોકટરોની સલાહથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે વિનંતી કરી છે કે છે કે જેઓ હાલના સમયમાં તેમની સાથે સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને તે લોકો પોતે કોરેન્ટાઇન થઈ જાય અને રિપોર્ટ કરાવી લે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com