શહેરાનગર આજથી ત્રણ માટે સ્વૈચ્છિક લોકડાઉન,વેપારીઓએ દૂકાનો બંધ રાખી.
શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન લાગ્યુ છે.વેપારીઓ અને તંત્ર સાથેની મીટીંગમાં આ નિર્ણય કરવામા આવ્યો હતો.ત્રણ દિવસ બાદ બજારો સાંજના ૪ સૂધી ખુલ્લા રહેશે.કોરોનાના વધતા સંક્રમણને ટાળવા માટે હવે સ્થાનિક લેવલે જ આવા નિર્ણયો લેવાઈ રહ્યા છે.જે ઈચ્છનીય છે.માત્
શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન લાગ્યુ છે.વેપારીઓ અને તંત્ર સાથેની મીટીંગમાં આ નિર્ણય કરવામા આવ્યો હતો.ત્રણ દિવસ બાદ
બજારો સાંજના ૪ સૂધી ખુલ્લા રહેશે.કોરોનાના વધતા સંક્રમણને ટાળવા માટે હવે સ્થાનિક લેવલે જ આવા નિર્ણયો લેવાઈ રહ્યા છે.જે ઈચ્છનીય છે.માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહી હતી.
શહેરામાં આજે લોકડાઉનનો સવારથી જ અમલ જોવા મળ્યો હતો.શહેરાનગર સામાન્ય દિવસોમા ધમધમે છે.આજ સવારથી વેપારીઓ લોકડાઉનનો અમલ કરતા જોવા મળ્યા હતા.શહેરાનગરમાં બસ સ્ટેશન વિસ્તાર,સિંધી ચોકડી,અણિયાદ ચોકડી,મેઈન બજાર,નાડા રોડ સહિતના વિસ્તારોમાં સ્વંયભુ લોકડાઉનની અસર જોવા મળી હતી.બજાર બંધ જોવા મળ્યો હતો.ત્યારે આવશ્યક મેડીકલ સેવાઓ સહિત ચાલુ રહી હતી.શહેરાનગર માથી પસાર થતા હાઇવેમાર્ગ પર પણ વાહનોની અવરજવર ઓછી જોવા મળતી હતી.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com