મોરબી : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનાહપ્તા નિયમિત મળતા ના હોય તો કચેરીનોસંપર્ક કરવો
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરેલ ખેડૂતોને નિયમિત હપ્તા નાં મળતા હોય તો ખેડૂતોએ પોતાના આધાર કાર્ડ, ૮-અ અને બેંક પાસબુક લઈ નજીકના પંચાયત કર્મચારીનો સંપર્ક કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યું છે ખેડૂતોએ પીએમ કિસાન એપ (PMKISANGol) અથવા https:// pmkisan.gov.in/
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત
ઓનલાઈન અરજી કરેલ ખેડૂતોને નિયમિત હપ્તા નાં મળતા
હોય તો ખેડૂતોએ પોતાના આધાર કાર્ડ, ૮-અ અને બેંક
પાસબુક લઈ નજીકના પંચાયત કર્મચારીનો સંપર્ક કરવા
મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યું છે
ખેડૂતોએ પીએમ કિસાન એપ (PMKISANGol) અથવા
https:// pmkisan.gov.in/ મારફતે જાતે નોધણી
કરી શકે છે. તેમજ અગાઉ કરેલ નોધણીની વિગતો
ચકાસી/સુધારી શકે છે. આગામી અઠવાડિયા દરમિયાન
ખેતીવાડી ખાતાના કર્મચારી જિલ્લાના તમામ તાલુકાના
જુદા જુદા ગામે હાજર રહી જુંબેશ સ્વરૂપે ખેડૂતોની મદદ
કરશે. જેથી તમામ ખેડૂતોને આ ઝુંબેશનો લાભ લેવા
જિલ્લાજ ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં
આવી છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com