મોરવાહડફ ખાતે શિવસેના સુપ્રીમો ઉદ્વવ ઠાકરેના જન્મદિવસ નિમીત્તે વૃક્ષારોપણ કરાયૂ
પંચમહાલ જીલ્લાના મોરવા હડફ ખાતે શિવસેનાના પ્રમુખ અને મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના ના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ. પંચમહાલ- મહિસાગર જીલ્લાના પ્રમુખ લાલાભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ શિવસેનાના સુપ્રિમો અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉ
પંચમહાલ જીલ્લાના મોરવા હડફ ખાતે શિવસેનાના પ્રમુખ અને મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના ના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ.
પંચમહાલ- મહિસાગર જીલ્લાના પ્રમુખ લાલાભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ શિવસેનાના સુપ્રિમો અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના ૬૧માં જન્મ દિવસની ઉજવણી કરવામા આવી હતી.જેમા શિવસૈનિકોએ કેકકાપીને એક બીજાને મોઢુ મીંઠુ કરાવીને જન્મદિવસની ઉજવણી કરી હતી. સાથે સાથે પર્યાવરણ શુધ્ધ રહે તેવા શુભઆશય સાથે મોરવા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજના કંપાઉન્ડમા વૃક્ષારોપણ કર્યુ હતુ. શિવસૈનિકોએ વિવિધ જાતના વૃક્ષોની રોપણી કરી હતી. શિવસૈનિકો ચેતનભાઈ બારિયા, રવિભાઈ વણઝારા, રાહુલભાઈ બારિયા,જીગરભાઈ મહેન્દ્રભાઈ સહીતનાઓ હાજર રહીને કાર્યક્રમ શાંતિપુર્ણ માહોલમા સફળ બનાવ્યો હતો.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com