શું ઘરમાં ઊંબરો હોવો જોઈએ?
જો વાસ્તુશાસ્ર અનુસારની દૃષ્ટિકોણથી જોઈએ, તો આપણે જોશું કે આજકાલ જે ઘરો બાંધવામાં આવે છે તે બધા એક દરવાજાના બનેલા હોય છે. ઘરના પ્રવેશદ્વારને ન તો ડિઝાઇન કરવામાં આવે છે અને ન તો ઊંબરો બનાવવામાં આવે છે. તમે મંદિરોમાં જોયું હશે કે એકથી વધારે દરવાજા હશે. મંદિરમાં પ્રવેશ કરવા માટે બે દરવાજ
જો વાસ્તુશાસ્ર અનુસારની દૃષ્ટિકોણથી
જોઈએ, તો આપણે જોશું કે આજકાલ જે ઘરો બાંધવામાં
આવે છે તે બધા એક દરવાજાના બનેલા હોય છે. ઘરના પ્રવેશદ્વારને ન તો ડિઝાઇન કરવામાં
આવે છે અને ન તો ઊંબરો
બનાવવામાં આવે છે.
તમે મંદિરોમાં જોયું હશે કે એકથી વધારે દરવાજા હશે. મંદિરમાં પ્રવેશ કરવા માટે બે દરવાજા હોય છે. સાથે દરેક મંદિરોમાં ઊંબરોતો જોવા મળે જ છે.
.jpg)
જો આપણે આપણા ઘરનો મુખ્ય દરવાજો
દ્વિપક્ષી બનાવીએ અને ઊંબરો પણ બનાવીએ તો આપણે ઘણા દુષ્ટ પ્રભાવોને અટકાવી શકીએ છીએ. ઘરમાં કોઈ
વ્યક્તિ પ્રવેશે તો ઊંબરો ઓળાંગીને જ આવતો હોય છે. પહેલાના
સમયમાં ઊંબરોની પૂજા કરવાનો રિવાજ હતો. તેથી જો આપણે પણ આપણા ઘરમાં ઊંબરો બનાવીએ તો ઘણા અશુભ પરિણામોથી બચી શકાય છે.
વાસ્તુશાસ્ર અનુંસાર દરવાજા માટેના નિયમો:
- દરવાજો ખોલતી કે બંધ કરતી વખતે અવાજ ન કરવો જોઈએ.
- મુખ્ય દરવાજો પૂર્વ અથવા ઉત્તર દિશામાં જ બનાવવો.
- ઘરના મુખ્ય દરવાજા સામે દાદર ન હોવો જોઈએ.
- મુખ્ય દરવાજો ઘરની વચ્ચે નહીં પરંતુ જમણી અથવા ડાબી તરફ હોવો જોઈએ.
- મુખ્ય દરવાજાની સામે ઝાડ, દીવાલ, થાંભલા જેવી વસ્તુઓ ન હોવી જોઈએ.
- ઘરના મુખ્ય દરવાજાનો ઉંમરો રસ્તા કરતાં ઊંચો હોવો જોઈએ.
- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો એવી રીતે બનાવવો કે તે ઘરની તરફ એટલે કે અંદરની તરફ ખુલે. મુખ્ય દરવાજો બહારની તરફ ખુલતો હોય તો સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com