માનસિક તણાવથી દૂર રહેવા માટે આ વસ્તુઓને રૂટિન લાઇફમાં સામેલ કરો
જે રીતે આપણને આપણું શરીર સ્વસ્થ રાખવાની સલાહ આપવામાં આવે છે તેવી જ રીતે આપણે આપણાં મગજને પણ હેલ્ધી રાખવાની ઘણી જરૂર હોય છે. દિમાગ વધતી ઉંમર સાથે યાદશક્તિને ધીમ-ધીમે ઓછી કરવા લાગે છે. જેના કારણે કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે તમારે તમારા માનસિક સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવું જરૂરી બને છે. જાણો, કઇ બાબતોના આધારે તમે તમારા માનસિક સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવી શકો છો.
નિયમિતપણે વ્યાયામ કરો
- નિયમિત કસરત કરવી તે તમારા શારીરિક અને માનસિક એમ બંનેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે.
- દરરોજ વ્યાયામ કરવાથી તમે તણાવમુક્ત રહી શકો છો જેની સીધી અસર તમારા વિચાર અને વિચારવાની ક્ષમતા પર પડે છે.
- આ સાથે જ તમે હંમેશા એક્ટિવ રહો છો જે તમારા માનસિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ દર્શાવવાનું કામ કરે છે અને તમને અલ્ઝાઇમર રોગનું જોખમ પણ ઓછું રહે છે.
હેલ્ધી ડાયેટ લો
- સ્વસ્થ જીવન પ્રાપ્ત કરવા માટે જરૂરી છે તમે હંમેશા હેલ્ધી ડાયેટની આદત રાખો.
- ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ભોજન લો, સંતૃપ્ત ચરબી ઓછી, વધારેમાં વધારે ફળ અને પત્તાદાર લીલી શાકભાજીઓ ખાઓ જેમાં પોષક તત્ત્વોનું ભરપૂર પ્રમાણ હોય છે.
- મલ્ટી ગ્રેઇન લો જે તમારા મસ્તિષ્કને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.
પૂરતી અને સારી ઊંઘ લો
- તમારા મગજને કામ કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પદ્ધતિ એ છે કે તેને રાત્રે 7 થી 9 કલાક માટે આરામ કરવા દો.
- ન્યૂરોલોજિસ્ટ એક્સપર્ટ્સની સલાહ છે કે ઊંઘ સૌથી જરૂરી છે જે તમારા મગજને રીસેટ કરીને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
- આ તમારા મગજના થાકને દૂર કરવાના સૌથી શ્રેષ્ઠ ઉપાયમાંથી એક માનવામાં આવે છે.
કંઇક નવું કરો
- માત્ર દરરોજ એક જ પ્રકારનું કામ કરીને થાક લાગ લાગવાથી તમે માનસિક રીતે અસ્વસ્થ થઇ શકો છો.
- હંમેશા કંઇક નવું કરવાનો પ્રયાસ કરવો જોઇએ જેનાથી તમને મજા પણ આવે અને તમારું મગજ નવું કાર્ય કરવા માટે ઝડપી સક્રિય રહે.
- સતત નવા કનેક્શન બનાવવાથી તમારા મગજને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ મળે છે.