અમદાવાદમાં ફરવા માટેનું સ્થળ આજથી ખુલ્યું...
અમદાવાદીઓ માટે ફરવાના મનગમતા સ્થળ કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા પ્રાણી સંગ્રહાલયને ૬ મહિનાના અંતરાલ બાદ આજ કાંકરિયા લેકફ્રન્ટ અને પ્રાણીસંગ્રહાલયમાં સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે મહત્તમ ૧ હજાર લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. જોકે, કાંકરિયા લેકફ્રન્ટમાં ફૂડ સ્ટોલ-મનોરંજનના અન્ય સાધનોને હાલમાં બંધ રાખવામા આવશે.
આજથી ડિસ્ટન્સિંગની પૂરતી તકેદારી સાથે કાંકરિયા લેકફ્રન્ટ, પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા અને બટર ફ્લાય પાર્કને મુલાકાતીઓ માટે ખોલવામાં આવશે. જેના માટે ગેટ નંબર ૧-૩-૪થી જ મુલારાતીઓને પ્રવેશ મળશે. કાંકરિયા લેકફ્રન્ટ અને પ્રાણી સંગ્રહાલયમાં એકસાથે મહત્તમ ૧ હજાર લોકોને પ્રવેશ મળી શકશે.
1 હજારથી વધુ સંખ્યા થશે તો એ સમય પૂરતો ગેટ બંધ કરાશે અને ત્યારબાદ તબક્કાવાર પ્રવેશ આપવામાં આવશે. બાલવાટિકા અને બટરફ્લાય પાર્કમાં પ્રમાણમાં ક્ષમતા ઓછી હોવાથી તેમાં એક સાથે મહત્તમ ૧૦૦ વ્યક્તિને પ્રવેશ મળશે. મુલાકાતીઓનો સોશિયલ ડિસ્ટન્સિંગના ધારા-ધોરણનું કેટલું પાલન કરે છે તેના આધારે ભવિષ્યમાં નિર્ણય લેવાશે