કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી રાત્રે AIIMSમાં દાખલ થયા, થઈ છે આ તકલીફ...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરોની એક ટીમ તેની દેખરેખ કરી રહી છે. તાજેતરમાં અમિત શાહે કોરોના સામેની લડાઇ જીતી લીધી છે. મોડી રાત્રે, તેઓને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડો રણદીપ ગુલેરિયાની આગેવાની હેઠળ તેની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ પ્રધાન અમિત શાહને મોડી રાત્રે 2 વાગ્યે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓને જૂના પ્રાઇવેટ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. એઈમ્સના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ એક ટીમ તેમની દેખરેખ રાખી રહ્યા છે.તેમને હળવો તાવ હતો. આ પછી જ તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.