બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો, મનોજ તિવારીએ આપી માહિતી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.કાલે બપોરે અમિત શાહનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. પરંતુ હમણાં હોસ્પિટલમાંથી રજા આપવામાં નહીં આવે. એક અથવા બે દિવસમાં ફરી વાર રિપોર્ટ કરવામાં આવશે તે રિપોર્ટ નેગેટિવ આવશે ત્યારે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવશે.બીજેપી નેતા મનોજ તિવારીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગૃહમંત્રી અમિતશાહ નો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.



તમને જણાવી દઈએ કે અમિત શાહ નો કોરોના રિપોર્ટ 2 ઓગસ્ટના રોજ પોઝિટિવ આવ્યો હતો અને તેમને ગુરુગ્રામ સ્થિત મેંદાનતા હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા.તેમને ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે કોરોનાના શરૂઆતના લક્ષણો હોવાના કારણે મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને પોઝિટિવ આવ્યો છે.મારી તબિયત ઠીક છે પરંતુ ડોક્ટરની સલાહ મુજબ હું હોસ્પિટલમાં એડમિટ થયેલ છું