આખરે 28 વર્ષ બાદ બાબરી વિધ્વંસ્તનો આવ્યો ચુકાદો...
- કોર્ટે 28 વર્ષે માન્યું કે ઘટના પૂર્વઆયોજિત નહોતી
- અચાનક બની હતી આ ઘટના - જજ આજે રિટાયર
- બાબરી કેસના તમામ 32 આરોપીઓ નિર્દોષ જાહેર કર્યા
- અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર પરનું 28 વર્ષનું કલંક ભૂંસાયું
બાબરી વિવાદિત ઈમારત તોડી પાડવા કેસમાં લખનઉની સ્પેશિયલ કોર્ટ દ્વારા સોમવારે મહત્વનો ચુકાદો આપ્યો છે. જજ એસ.કે યાદવે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે. કુલ 48 લોકો પર આરોપ લગાવવામાં આવ્યો હતો. જેમાંથી 16 લોકોના નિધન થઈ ગયા છે.
કોર્ટે આ સુનવણી કરતા કહ્યું કે બધા આરોપીઓ નિર્દોષ છે, ઘટના પૂર્વઆયોજિત નહતી, અચાનક થઈ હતી
સ્પેશિયલ જજ એસકે યાદવના કાર્યકાળનો આજે અંતિમ દિવસ હતો અને તેમને સંભળાવ્યો ચુકાદો , આજે તેઓ 30 સપ્ટેમ્બર 2019ના રોજ તેઓ નિવૃત્ત થવાના હતા પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને 30 સપ્ટેમ્બર 2020 સુધી સેવા વિસ્તરણ આપ્યું હતું.