બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

એપ્રિલથી ઑગષ્ટ વચ્ચે આટલા લોકો થયા બેકાર, જાણો કોણે આપ્યો રિપોર્ટ...

નોકરિયાતોને સૌથી વધુ નુકસાન થયું: નવી દિલ્હી તા.10 સપ્ટેંબર 2020 ગુરૂવાર, સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમીના એક અહેવાલ મુજબ આ વર્ષના એપ્રિલથી ઑગષ્ટ વચ્ચે બે કરોડ દસ લાખ નોકરિયાતો બેકાર થઇ ગયા હતા. એકલા ઑગષ્ટમાં 33 લાખ નોકરિયાતોએ નોકરી ગુમાવી હતી. જુલાઇમાં આ આંકડો 48 લાખનો હતો.


સેન્ટરે પોતાના અહેવાલમાં કહ્યું હતું કે આ સંજોગો વેતન મેળવતા કર્મચારીઓ અને તેમના સહાયકો પૂરતા મર્યાદિત રહ્યા નહોતા, ઔદ્યોગિક કર્મચારીઓ અને મોટા પગારદાર લોકોનેા પણ એમાં સમાવેશ થયો હતો.2019-20ના વર્ષની તુલનાએ આ વર્ષના ઑગષ્ટમાં દેશભરમાં નોકરીઓ 8.6 કરોડથી ઘટીને 6.5 કરોડ થઇ ગઇ હતી. એટલે કે બે કરોડથી વધુ નોકરિયાતો બેકાર થઇ ગયા હતા. તમામ પ્રકારના વ્યવસાયોમાં 2.1 કરોડ નોકરીઓની ઓછપ સૌથી મોટો આંકડો હતો. જુલાઇમાં 48 લાખ નોકરીઓ ગયા પછી ઑગષ્ટમાં ફરી બીજી 33 લાખ નોકરીઓ ગઇ હતી.  


બીજા શબ્દોમાં એમ કહી શકાય કે જુલાઇમાં 9.37 ટકા બેકારી હતી એ વધીને ઑગષ્ટમાં 9.83 ટકા થઇ ગઇ હતી. ગ્રામ વિસ્તારોમાં જુલાઇમાં 6.51 ટકા બેકારી હતી એ ઑગષ્ટમાં વદીને 7,56 ટકા થઇ ગઇ ઙતી. કોઇ પણ દેશના અર્થતંત્ર માટે આ આંકડા બહુ ભયજનક ગણાય. આર્થિક વિકાસના બહુ મોટા મોટા આંકડા ભલે રજૂ થતાં હોય, એની સાથે વેતનલક્ષી નોકરીઓ વધતી નથી એ હકીકતનો સ્વીકાર કરવો રહ્યો. દેશના કુલ રોજગારમાં વેતનલક્ષી નોકરીઓનો હિસ્સો 21થી 22 ટકાનો રહ્યો હતો. લૉકડાઉન દરમિયાન નોકરી ગુમાવનારા માટે ખેતીવાડીનો એક વિકલ્પ હતો એટલે 2019-20 દરમિયાન 11.1 કરોડ કર્મચારીઓની તુલનાએ આ વર્ષના ઑગષ્ટમાં ખેતીવાડીની રોજીમાં 1.4 કરોડ લોકોનો વધારો નોંધાયો હતો.


સેન્ટરના રિપોર્ટમાં વધુમાં જણાવાયા મુજબ રોજમદાર લોકો પર પણ આ પરિસ્થિતિની અસર નોંધાઇ હતી.એપ્રિલમાં 12.1 કરોડ લોકો રોજમદાર હતા. એમાંના 9.1 કરોડ લોકોએ રોજી રોટી ગુમાવી હતી. જો કે ઑગષ્ટ સુધીમાં પરિસ્થિતિ થોડી સુધરી હતી. આમ છતાં 2019-20માં 12.8 રોજમદાર હતા એની તુલનામાં આ વરસે 1.1 કરોડ રોજમદારો ઓછા હતા.