બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રાજ્યમાં આ તારીખથી ધોરણ 6 થી 8ના ક્લાસ શરુ થશે : ભુપેન્દ્ર ચુડાસમા

કોરોનાના કહેર ઓછો થતા શિક્ષણમંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. આગામી ગુરુવારથી રાજ્યભરની શાળામાં ધોરણ 6 થી 8 ના વર્ગો પણ શરુ કરી દેવામાં આવશે. તાજેતરઅ 9થી 12ના વર્ગો ચાલુ છે, જેમાં 50 ટકા જેટલી હાજરી રહે છે. જ્યારે આજે થયેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કહેવામાં આવ્યું છે કે, શાળામાં હાજર રહેનારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યું છે. તેમજ 50 ટકા હાજરી સાથે ક્લાસ ચલાવવામાં આવશે.  જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ જરૂરી રહેશે. ધોરણ છ થી આઠમાં 32 લાખ જેટલા વિદ્યાર્થીઓ  આગામી ગુરુવારથી સ્કૂલે આવવાનું શરુ કરી નાખશે. 

તેમ છતાં શાળાએ આવવું વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી અને ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ રાખવામાં આવશે.
તેની સાથે ગઈકાલે થયેલા શિક્ષકોના સજ્જતા સર્વેક્ષણમાં હાજર રહેલા 38 ટકા શિક્ષકોનો શિક્ષણમંત્રીએ આભાર માનતા કહ્યું હતું કે, આ સર્વેક્ષણ ફરજિયાત નહોતું તેવું સરકારે પહેલાથી જ સ્પષ્ટ કરી નાખ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં થનારા આ પ્રકારના સર્વેક્ષણમાં વધુમાં વધુ શિક્ષકો જોડાય તે માટે સરકાર પ્રયત્નો કરશે. સ્કૂલોની ફીમાં ઘટાડો કરવા બાબતે ચુડાસમાએ કહ્યું હતું કે, વાલીઓએ આ અંગે હાઈકોર્ટમાં પિટિશન કરી છે, જેનો અભ્યાસ કર્યા બાદ જ સરકાર દ્વારા આ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જ્યારે રાજ્યમાં ચોમાસું નબળું રહ્યું હોવાના કારણે પાણીની તંગીને લઈને પણ આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેની જાણકારી આપતા ચુડાસમાએ કહ્યું હતું કે, રાજ્યમાં પીવાના પાણીની કોઈ મુશ્કેલી ના પડે તે માટે સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સીઝનમાં 93 ટકા જેટલી જમીન પર વાવેતર કરવામાં આવી રહ્યું છે જ્યારે ખેડૂતોને પાણી અપાશે કે, કેમ તે અંગે ચુડાસમા દ્વારા કહેવામાં આવ્યું કે, પીવાના પાણીનો સ્ટોક રાખીને સરકાર ખેડૂતોને સિંચાઈ માટે કઈ રીતે પાણી પૂરું પાડશે તેની જાહેરાત તાજેતરમાં જ ડે. સીએમ દ્વારા કરવામાં આવી હતી.