બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કોરોના સંક્ર્મીતો પ્રત્યે અનોખી સંવેદના

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સી.એમ ડેશ બોર્ડના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેંટર પરથી ગુજરાતના કોરોના અસરગ્રસ્ત  દર્દીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે દર્દીઓને મળી રહેલ સારવાર અને સુવિધાઓની જાતમાહિતી મેળવી હતી. 



મુખ્યમંત્રીશ્રીએ સારવાર લઈ રહેલા વ્યક્તિઓને જલ્દી સ્વસ્થ થઈ જવાની શુભેચ્છાઓ આપી સરકાર તેમની સારવારની ચિંતા કરે છે તેમ પણ કહ્યું હતું. તેમણે સારવાર લઈ રહેલા સૌને રિકવરી બાદ પણ થોડા દિવસ તકેદારી રૂપે સેલ્ફ આઇસોલેશન અને પરિવારજનો પણ ક્વોરેન્ટાઇન રહે તેવી સલાહ આપી હતી. તેમણે દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો સાથે પણ વ્યક્તિગત વાતચીત કરીને તેમને આ સેવાકાર્ય માટે અભિનંદન  પાઠવ્યા હતાં. 



મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યેક દર્દીની પારિવારિક વિગતો જાણી હતી. મુખ્યમંત્રીશ્રીના આ કોમન મેન તરીકે ખબરઅંતર પુછવાના સંવેદનશીલ અભિગમથી સૌ ભાવવિભોર થયા હતા.