બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના પૂ.પુરુષોત્તમદાસ સ્વામીનું નિધન...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે મણિનગર ગાદી સંસ્થાના પૂ.પુરષોત્તમદાસ સહિત અનેક સંતો ને કોરોના વાયરસનું સંક્રમણ થયું હતું જ્યારે સ્વામી પૂ.પુરષોત્તમદાસ સ્વામીની તબિયત ખુબજ નાજુક હતી.



ઉઘડતા પ્રભાતે શોકમગ્ન કરતા સમાચાર સામે આવ્યા છે. મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના પૂજ્ય પુરષોત્તમપ્રિયદાસજીનું દેહાવસાન થયું છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ 18 દિવસથી સતત સારવાર હેઠળ હતા. તેમના નિધનથી હરિભક્તો-સત્સંગીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે આજે ઘોડાસર સ્મૃતિમંદિરમાં તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવશે. દેશ-વિદેશમાં સ્વામીના અનુયાયી ફેલાયેલા છે, તેથી તેઓને ઈન્ટરનેટના માધ્યમથી  અંતિમ દર્શન કરવા માટે https://www.swaminarayangadi.com પર જઈને દર્શન કરવા અનુરોધ કરાયો છે.