બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોનાને લઈ આજે અમદાવાદ માટે ચેતવણીરૂપ સમાચાર, રાજ્યમાં કોરોના પોઝીટીવના વધુ 7 નવા કેસ નોંધાયા, તમામ પોઝીટીવ કેસ અમદાવાદના...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે ત્યારે દિવસેને દિવસે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સમગ્ર રાજ્ય સરકાર કોરોનાને હરાવવા માટે લડી રહી છે.

કોરોના વાયરસને લઈ આજે અમદાવાદ માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના વાયરસના 7 નવા કેસ નોંધાયા છે. આ તમામ કેસ અમદાવાદમાં નોંધાયા છે જેથી અમદાવાદમાં કોરોનાનો આંકડો 38 પર પહોંચ્યો છે. અમદાવાદમાં 7 વર્ષની બાળકી પણ કોરોનાની ઝપેટમાં આવી છે. અમદાવાદમાં નોંધવામાં આવેલા 7 કેસ માંથી 6 કેસમાં લોકલ ટ્રાન્સમીશન જોવા મળ્યું છે, જે અમદાવાદ માટે ચેતવણીરૂપ માની શકાય.

રાજ્યમાં કોરોના વાયરસના અત્યારસુધીમાં (03/4/2020 Till 11:10 Am) 7 કેસ નોંધવામાં આવતા રાજ્યમાં કોરોના વાયરસના કુલ 95 કેસ થઇ ગયા છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 38 કેસ નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં 95 કેસ માંથી અમદાવાદમાં 38, સુરતમાં 12, વડોદરામાં 9, ગાંધીનગરમાં 11, રાજકોટમાં 10, ભાવનગરમાં 7, ગીર સોમનાથમાં 2, પોરબંદરમાં 3, તેમજ મહેસાણા, પંચમહાલ અને કચ્છમાં 1-1 કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોના વાયરસથી કુલ 8 લોકોના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 1, વડોદરામાં 1, ભાવનગરમાં 2, તેમજ પંચમહાલમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.

આ ઉપરાંત વધુમાં જયંતી રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1944 લોકોના રીપોર્ટ કરવામાં આવ્યા છે. તથા રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 14868 લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમજ અત્યારસુધીમાં કોરોના વાયરસના 10 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.