રાજ્યમાં 2 સપ્તાહ સુધી “કોરોના કર્ફયુ” રાજ્ય સરકારે કરી આ મહત્વની જાહેરાત...
સમગ્ર વિશ્વના દેશોમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે, અને ભારતમાં પણ કોરોનાની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં કોરોનાને લઈને સરકાર દ્વારા રવિવારના રોજ મહત્વની જાહેરાત કરવામાં આવી છે,
મુખ્યમંત્રી
વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રવિવારના રોજ એક ઉચ્ચ સ્તરીય બેઠક
યોજીને રાજ્યમાં આરોગ્યલક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્ય
સચિવ અનિલ મૂકિમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિ એ આ બેઠક ની વિગતો આપતા
જણાવ્યુ કે ગુજરાત માં કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાં રૂપે
રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે.
રાજ્યમાં
શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 2 સપ્તાહ સુધી બંધ
રહેશે.
રાજ્યમાં શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતી કાલ થી બે અઠવાડિયા માટે એટલે કે 29 માર્ચ સુધી બંધ રહેશે, તેમજ હાલ માં જે બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે તે યથાવત રહેશે....
રાજ્યના સિનેમાઘરો, સ્વિમિંગ પુલ પણ 2 સપ્તાહ સુધી રહેશે બંધ.
કોરોના વાયરસને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા 2 સપ્તાહ સુધી તમામ સિનેમાઘરો, મલ્ટીપ્લેક્ષો, તેમજ સ્વીમીંગપુલો બંધ રાખવા આદેશ કર્યો છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જાહેર
સ્થળો એ થુકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે એટલું જ નહિ જો કોઈ વ્યક્તિ આ
પ્રતિબંધ નો ભંગ કરશે તો 500 રૂપિયા નો દંડ
સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે.
સાથેજ રાજ્ય સરકારે
તમામ ધાર્મિક સંસ્થાઓ અને સંપ્રદાયોને પોતાના
મેળાવડાઓ ધર્મ કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ના યોજવા પણ અનુરોધ કર્યો છે.