બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજ્યમાં કોરોના વાયરસના કારણે કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખનું નિધન થયું...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે કોરોના વાયરસે VIP લોકોને પણ ભોગ લીધો છે. કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખનું કોરોના વાયરસના કારણે નિધન થયું છે. બદરુદ્દીન શેખ SVP હોસ્પીટલમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું છે.


રાજ્યમાં કોરોના વાયરસના કહેર વચ્ચે કોંગ્રેસ ના કોર્પોરેટર બદરુદ્દીન શેખ નું નિધન થયું છે. 68 વર્ષીય બદરુદ્દીન શેખ છેલ્લા 1 સપ્તાહથી કોરોના વાયરસની સારવાર લાઇ રહ્યા હતા. તે દરમ્યાન તેમનું આજે મૃત્યુ થયું છે. આ ઉપરાંત કોંગ્રસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો પરંતુ સારવાર દરમ્યાન તેમનો રીપોર્ટ નેગેટીવ આવતા આવતી કાલે તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે બદરુદ્દીન શેખ કોંગ્રેસના કોર્પોરેટર તેમજ ખૂબ જ મોટા ગજાના નેતા હતા ત્યારે કોરોના વાયરસના કારણે તેમનું મૃત્યુ કોરોના વાયરસથી થવાથી કોંગ્રેસ પાર્ટીને પણ મોટી ખોટી પડી છે. છેલ્લા કેટલાક સમયથી બદરુદ્દીન શેખને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બદરુદ્દીન શેખ અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષ નેતા પણ રહી ચુક્યા છે તેમજ અમદાવાદ બહેરામપુર વોર્ડના કોર્પોરેટર છે બદરુદ્દીન શેખ.