બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોરોનાની રાજ્ય કક્ષાના મિનિસ્ટરના દફતરમાં દસ્તક, સ્વર્ણિમ સંકુલ 2 ના કર્મચારી થયાં કોરોન્ટાઈન...

સમગ્ર દેશ દુનિયા અને રાજ્યમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે ત્યારે હવે કોરોના વાયરસ સરકારી કચેરીઓમાં પણ પ્રવેશ કરી લીધો છે અને અનેક કર્મચારીઓ કોરોના વાયરસના ભોગ પણ બન્યા છે ત્યારે કોરોના વાયરસે રાજ્ય કક્ષાના પ્રધાનની કચેરીમાં પણ દસ્તક આપી છે.

મળતી વિગતો અનુસાર રાજ્ય કક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમારની કચેરીમાં કામ કરતા ક્લાર્કનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ કચેરીના તમામ કર્મચારીઓ હોમ કોરોન્ટાઈન થયા છે, તેમજ કચેરીમાં હવે માત્ર પીએ અને પીએસ ઉપસ્થિત રહેશે.