કોરોના વોરિયર્સ માટે આયુષ્માન ખુરાનાએ લખી કવિતા, "લડના ઉનકો હૈ ઉન્હી કો સબ કુછ સહેના હૈ, હમકો તો સિર્ફ ઘર પે રહેના હૈ"
સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારે દેશ માટે કામ કરી રહેલા લોકો માટે બોલીવુડ અભિનેતાઓ દ્વારા અલગ અલગ પ્રકારે તેમને સન્માન આપવામાં આવી રહ્યું છે, ત્યારે બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાના પોતાની કવિતાઓને લઈને વારંવાર ચર્ચામાં જોવા મળતા હોય છે.
આયુષ્માન ખુરાનાએ પોતાની કવિતા દ્વારા એવા લોકોનો આભાર વ્યક્ત કર્યો છે કે જેઓ કોરોના વાયરસ જેવી મહામારીના સમયમાં પણ આપણા માટે કામ કરી રહ્યા છે. કોરોના વોરિયર્સ પર લખેલી આયુષ્માનની આ કવિતા લોકોને ખુબ જ પસંદ પડી રહી છે.
View this post on InstagramA post shared by Ayushmann Khurrana (@ayushmannk) on
કોરોના વોરીયાર્સનો આભાર વ્યક્ત કરવા માટે તમામ બોલીવુડ અભિનેતાઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી રહ્યા છે. અમિતાભ બચ્ચને પણ તાજેતરમાં એક વિડીયો શેર કરીને આવા લડવૈયાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત અન્ય કેટલાય અભિનેતાઓએ સોશિયલ મીડિયાની મદદથી આવા કોરોના વોરીયર્સનો આભાર માન્યો હતો.