બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રાજ્યમાં કોરોના વાયરસના વધુ 58 કેસ પોઝીટીવ, અમદાવાદમાં 500ને પાર...

સમગ્ર રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના વધુ કેટલાક કેસો નોંધવામાં આવ્યા છે જેની માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી આપી હતી.

જયંતી રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે સવારથી અત્યારસુધી (16/04/2020 Till 07:50 Pm) વધુ 58 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે જે પૈકી અમદાવાદમાં 53, સુરતમાં 2, વડોદરામાં 1, રાજકોટમાં 1 તેમજ અરવલ્લીમાં 1 કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ રાજ્યમાં આજે કુલ 9 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

જયંતી રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વધુ 58 પોઝીટીવ કેસ નોંધાતા સંક્ર્મીતોની સંખ્યા 929 પર પહોંચી ચુકી છે. રાજ્યમાં નોંધાયેલા 929 કેસો પૈકી 812 સ્ટેબલ, 8 લોકો વેન્ટીલેટર પર તથા 73 લોકોએ અત્યારસુધીમાં કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1706 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 163 કેસ પોઝીટીવ, 1543 કેસ નેગેટીવ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ 20903 કેસ નોંધવામાં આવ્યા છે જે પૈકી 929 કેસ પોઝીટીવ, તેમજ 19974 કેસ નેગેટીવ નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 36 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે.

રાજ્યમાં નોંધાયેલા 929 કેસો પૈકી તેની જિલ્લાવાર માહિતી આ પ્રમાણે છે...