બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજ્યમાં કોરોના વાયરસનો વધતો કહેર, સંક્ર્મીતોની સંખ્યા 1000ને પાર...

રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, રાજ્યમાં કોરોના વાયરસના વધુ કેટલાક પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે જેની માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી આપી હતી.

જયંતી રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાયરસના ગઈકાલ સાંજથી અત્યારસુધીમાં (17/04/2020 Till 10:50 Am) વધુ 92 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા હતા જે પૈકી, અમદાવાદમાં 45, સુરતમાં 14, વડોદરામાં 9, આણંદમાં 1, ભરૂચમાં 8, બોટાદમાં 3, છોટા ઉદેપુરમાં 1, દાહોદમાં 1, ખેડામાં 1, તેમજ મહીસાગરમાં 1 કેસ નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં વધુ 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે તથા વધુ 1 વ્યક્તિને ડીસ્ચાર્જ કરવામાં આવી છે.

રાજ્યમાં વધુ 92 પોઝીટીવ કેસ નોંધાતા સંક્ર્મીતોની સંખ્યા 1021 પર પહોંચી ચુકી છે જે પૈકી 901 સ્ટેબલ, તેમજ 8 વ્યક્તિઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1608 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 150 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ 21812 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 1021 કેસ પોઝીટીવ નોંધવામાં આવ્યા છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં કુલ 38 વ્યક્તિઓના મૃત્યુ થયા છે તથા 74 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં નોંધાયેલા 1021 કેસો પૈકી જિલ્લાવાર માહિતી આ પ્રમાણે છે: