દેશમાં કોરોના વાયરસ માટેની રેપીડ ટેસ્ટ કિટનો 2 દિવસ સુધી ઉપયોગ નહિ, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય...
કોરોના વાયરસને લઈને ભારતમાં ઘણા લાંબા સમયથી માંગણી હતી કે ટેસ્ટીંગ રેપીડ ટેસ્ટ કીટ થી કરવામાં આવે. તેમજ આ કીટ ભારતમાં આવી પણ પહોંચી ચુકી છે તથા કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને ટેસ્ટીંગ માટે આ કીટ આપી પણ દીધી છે.
જોકે રાજસ્થાન હેલ્થ વિભાગે આ કિતની સામે સવાલો ઉભા કર્યા છે અને કહ્યું છે કે આ કીટ વિશ્વસનીય નથી. આ કીટ ના પરિણામ અને લેબના પરિણામમાં તફાવત જોવા મળી રહ્યો છે. આ ફરીયાદ બાદ કેન્દ્ર સરકાર તુરંત જ હરકતમાં આવી ગઈ છે અને ટેસ્ટીંગ પર હાલ પુરતો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
રાજસ્થાન સરકારે જણાવ્યું છે કે સવાઈ માનસિંહ હોસ્પીટલમાં પોઝીટીવ દર્દીઓ પર આ કીટનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું, જ્યાં 100 પોઝીટીવ દર્દીઓ છે અને તેમાંથી માત્ર 5 જ ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા જેને લઈને આ કિટની સામે અનેક સવાલો ઉભા થયા છે, રાજસ્થાન સરકારે કહ્યું કે તેઓ કેન્દ્ર સરકારને આ અંગે જાણ કરશે અને જો કોઈ નિર્ણય લેવામાં નહિ આવે તો આ કીટ પરત મોકલવામાં આવશે.
ત્યારબાદ ICMR દ્વારા આ અંગે કહેવામાં આવ્યું છે કે તેઓ કોઈપણ પ્રકારની ફરિયાદોને અવગણવા નથી ઈચ્છતા, જેના લીધે આ અંગેની તપાસ માટે ટીમ મોકલવામાં આવશે અને યોગ્ય તપાસ કરવામાં આવશે. જેના લીધે 2 દિવસ સુધી એન્ટીબોડી ટેસ્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.