બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

આજે ભારતીય વાયુસેના અને ઈન્ડિયન નેવીના હેલિકોપ્ટર કોરોના વૉરિયર્સ પર ફૂલનો વરસાદ કરશે..

કોરોના મહામારીની વચ્ચે ભારતીય સેના  દ્વારા કોરોના વાયરસની સારવાર કરી રહેલા ડૉક્ટરોનો ઉત્સાહ વધારવા માટે એક ખાસ પગલું ભરશે. ભારતીય સેનાના પીઆરઓ કર્નલ અમન આનંદે જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેના અને ઈન્ડિયન નેવીના હેલિકોપ્ટર કોરોનાની સારવાર કરી રહેલી હોસ્પિટલો પર ઉપરથી પસાર થશે ને કોરોના વૉરિયર્સ પર ફૂલનો વરસાદ કરશે.



તેમણે કહ્યું કે, આખો દેશ રવિવારે કેટલાક સ્થાનો પર ભારતીય વાયુસેનાના લડાકુ અને પરિવહન વિમાનો દ્વારા કરવામાં આવનાર ફ્લાયપાસ્ટનો સાક્ષી બનશે. આ વિમાન શ્રીનગરથી તિરુવનંતપુરમ અને ડિબ્રૂગઢથી કચ્છ સુધી કવર કરશે.



આ પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ત્રણે સેનાઓના પ્રમુખોની સાથે પ્રેસ કૉન્ફરન્સ કરતા કહ્યું હતું કે, સશસ્ત્ર બળો તરફથી અમે બધા કોરોના વૉરિયર્સને ધન્યવાદ આપવા માંગીએ છીએ. ડૉક્ટરો, નર્સો, સ્વચ્છતા કર્મચારીઓ, પોલીસ, હોમગાર્ડ, ડિલીવરી બોય અને મીડિયા, જે મુશ્કેલ સમયમાં આગળ વધવા માટે સરકારના સંદેશને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. બિપિન રાવતના મતે પોલીસ સ્મારક ઉપર પણ સેના તેમના સમર્થનમાં ત્રણ મેના રોજ પરેડ કરશે.



કોરોના વૉરિયર્સનો ઉત્સાહ વધારવા માટે ભારતીય વાયુસેના તરફથી કહેવામાં આવ્યુ છે કે મહામારી સામે લડવા માટે આખો દેશ એક સાથે ઉભો છે અને સંકટમાંથી જલ્દી બહાર આવવાની ક્ષમતા પ્રદર્શિત કરી છે. ભારતીય વાયુસેના કોરોના યોદ્ધાઓ પ્રત્યે આભાર પ્રદર્શિત કરવા માટે ત્રણ મે ના રોજ દેશભરમાં ફ્લાયપાસ્ટ કરશે.