દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હીની પરિસ્થિતિ નિયંત્રણમાં છે, નવા દર્દીઓને દાખલ કરવાની જરૂર નથી
નવી દિલ્હી: દિલ્હીમાં કોરોનાનો ફેલાવો વધી રહ્યો છે .આ દરમિયાન દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોના વિશે માહિતી આપી હતી
તેમણે જણાવ્યું હતું કે , 'ટેસ્ટ વધવાને કારણે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. કોરોનાના 26 હજાર દર્દીઓની સારવાર ચાલી રહી છે. 20 હજારથી વધુ દર્દીઓની ઘરે સારવાર કરવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે નવા દર્દીઓમાં કોરોનાનાં હળવા લક્ષણો જોવા મળ્યા છે. નવા દર્દીઓને દાખલ કરવાની જરૂર નથી. કોરોનાના 45 હજારથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા છે.
તેમણે જણાવ્યું હતું કે દિલ્હીની 3 હોસ્પિટલોમાં આઈસીયુ બેડ વધારવામાં આવશે. એલએનજેપી અને જીટીબીમાં આઇસીયુ બેડ વધારવામાં આવશે. દિલ્હીમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. પ્લાઝ્મા થેરેપી પર કામ ચાલુ છે. તેનાથી વધુ સારા પરિણામો મળ્યા