બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

તાલાળાના ગુંદરણ ગામેથી ડિજિટલ સેવાસેતુનો પ્રારંભ કરાયો...ડિજિટલ યુગમાં સરકારે ડિજિટલ સેવાસેતુની શરૂઆત કરી..

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્રારા આજે ગાંધીનગર ખાતેથી આપણી ગ્રામ પંચાયતમાં હવે ડિજિટલ સેવા સેતુ ઉપલબ્ધ કાર્યક્રમનો ઈ-પ્રારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ગુંદરણ રામ મંદિર ખાતે રાજ્યબીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો ડિજિટલ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમા તેઓશ્રીએ જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં સરકારશ્રીએ ડિજિટલ સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત કરી લોકોને ઘર બેઠા જુદી-જુદી સેવાઓનો લાભ મળી શકશે.


કલેકટરશ્રી અજયપ્રકાશે કહ્યું હતું કે, ડિજિટલ સેવાસેતુના માધ્યમથી હવે લોકોને ૨૨ પ્રકારની સેવાનો લાભ ગ્રામ પંચાયત કચેરી ખાતેથી આપવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારના લોકોને તાલુકાકક્ષાએ જવાની જરૂર નહી રહે અને તેમના ગામમાં જ જુદી-જુદી સેવાઓનો લાભ મળી રહેશે. ગુંદરણ ગ્રામજનો અને અગ્રણીશ્રી મહેન્દ્રભાઈ પીઠીયાના સહયોગથી ૫ કોમ્યુટર સરકારી શાળાને અર્પણ કર્યા હતા.


મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ઈ-પ્રારંભ કરતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર કે તાલુકા સુધી જવુ ન પઙે અને સ્થાનિક સ્તરે જ ઓછામાં ઓછા સમયમાં સરકારી સેવાઓનો લાભ મળી શકે તે માટે સરકારને નાગરિકો સાથે જોડતો ડિજિટલ સેવાસેતુ શરૂ કર્યો છે. ગુજરાત સરકારના ડિજિટલ ગુજરાતના સપનાને સાકાર કરવાના ભાગરૂપે ડિજિટલ સેવાસેતુ પ્રોજેક્ટ અંતર્ગત હવે ગામડાઓમાં સરકારી સેવાઓ જેવી કે, રેશનકાર્ડમાં નામ ઉમેરવુ, કમી કરવું, સુધારો કરવો, નવું રેશનકાર્ડ બનાવવુ, વિધવા સર્ટિફિકેટ, આવકનો દાખલો સહિતની ૨૨ સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ તમામ સેવાઓ માટે હવે તલાટીમંત્રી દ્રારા એફિડેવિટ કરવામાં આવશે. જેથી લોકોના આર્થિક ખર્ચમાં બચત થશે. ડિસેમ્બર સુધીમાં ગુજરાતના ૮ હજાર ગામડાઓને આ સેવાથી આવરી લેવાશે.


આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, ડી.આર.ડી.નિયામકશ્રી પ્રજાપતી, મામલતદારશ્રી કલસરીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ઓડેદરા, સરપંચશ્રી હિતેષભાઈ, તલાટીમંત્રીશ્રી જીજ્ઞેશભાઈ નાયી અને ગ્રામજનો સહભાગી થયા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન મહેન્દ્રભાઈ પીઠીયા એ, સંચાલન પ્રો.વાળાએ અને આભારવિધી શાળાના આચાર્યશ્રી અલ્પેશભાઈ ઘોડાસરાએ કરી હતી.