બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

દરેક વાતના બે પુરાવા.....જાણો કયા કયા છે

આપણો મનુષ્ય સ્વભાવ એ કોઈ પણ વાત તરત જ સ્વીકારી લેવા માટે તૈયાર થતો નથી. કોઈ પણ વાત સાંભળીને આપણે પુછીશુ કે એની સાબિતી શુ? આ આપણો સામાન્ય સ્વભાવ છે.આજે આપણે જાણીશુ કે કોઈ વાતના પુરાવા કયા અને કેટલા હોય.

વાતના બે પુરાવા હોય એક પ્રત્યક્ષ કે જે આપણે જોઈ અનુભવી શકીએ છીએ , અને બીજુ શબ્દ પ્રમાણ કે જે ઘટના ભૂતકાળમાં બની ચુકી છે અને એ આપણે વાંચીએ અથવા તો સાંભળીએ છીએ. જેમકે આપણા વેદો અને શાસ્ત્રોમાંથી આપણને જાણવા મળે છે . કેટલીક બાબતો આપણે માનીએ નહી કે જે શાસ્ત્રોમાં આપણને કહેવામા આવી છે , એ બધુ આપણને મજાક લાગે છે અને પાછા આપણે એનો વિરોધ પણ કરીએ છીએ . 

આપણને શિવલિંગ પર જળ અથવા દૂધનો અભિષેક કરવાનુ કહેલ છે , આ તથ્ય ને આજે મિડિયા દ્વારા જુઠુ સાબિત કરવામાં આવે છે , પણ એની પાછળ આધ્યાત્મિક ની સાથે-સાથે વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા છે જે પ્રત્યક્ષ નહી પણ શબ્દ પ્રમાણ છે . જેવી રીતે આપણને વિજ્ઞાનમા ભણાવવામાં આવે છે કે અણુમાં ન્યુટ્રોન ,  પ્રોટોન ,  ઈલેક્ટ્રોન રહેલા છે એ માની લઈએ છીએ , કે જે આપણે ક્યારેય જોયા નથી પણ વૈજ્ઞાનિક દ્વારા શોધ કરીને એ તથ્ય આપણા સુધી શબ્દ પ્રમાણ સ્વરુપે પહોંચે છે . એવી જ રીતે આપણા રુષિ-મુનિઓ પણ વૈજ્ઞાનિક જ હતા અને એમના સંશોધનો એ આપણે શાસ્ત્રો દ્વારા જાણી શકીએ છીએ . 

તો એ શબ્દ પ્રમાણ પર વિશ્વાસ રાખી આપણે આપણી સનાતન અને અખંડ સંસ્કૃતિ સાથે જોડાયેલા રહીએ.