બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ભાવનગરના અલંગમાં પ્લોટ નં.9 માં બીચ કરાયેલ INS વિરાટની વિશેષતાઓ જાણો...

ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ, 'ગ્રેટ ઓલ્ડ લેડી'ના નામથી ઓળખાતું અને સમુદ્ર પર રાજ કરી ચૂકેલું વિરાટ આજે અલંગની જમીન પર આવી પહોંચ્યું છે. જહાજને આજે મોટી ભરતીમાં અલંગ ખાતે આવેલા પ્લોટ નં.9માં બપોરે બીચિંગ કરાયું હતું. બીચિંગના અવસર પર કેન્દ્રીય શિપિંગમંત્રી મનસુખભાઈ માંડવિયા, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, મંત્રી વિભાવરીબેન દવે, GMBનાં વાઈસ-ચેરમેન અવંતિકાસિંઘ અને નેવીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • હવે ઐતિહાસિક જહાજના અસ્તિત્વનો અંત આવ્યો
  • શિપિંગમંત્રી, નેવીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા...

જહાજ બીચ થયા બાદ વાયરો મોકલી બાંધી દેવામાં આવ્યા:
અત્યારે INS વિરાટ અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 9 પહોચી ગયું છે. ટગ દ્વારા જહાજને ધીમે ધીમે ખેંચીને નજીક લાવવાની કામગીરી કરાઈ હતી. જહાજના બીચિંગ પ્રક્રિયા સાથે સંકળાયેલા શિપ બીચિંગ નિષ્ણાત પૂર્વજિતસિંહ સરવૈયાના જણાવ્યા પ્રમાણે, એન્કરેજ પોઇન્ટ પરથી ટગ સિંહ ચિતા દ્વારા INS વિરાટને ખેંચીને પ્લોટ તરફ લાવવામાં આવ્યું હતું. બપોરે જહાજ બીચ થયા ગયા બાદ કિનારેથી વાયરો મોકલી અને જહાજને બાંધી દેવામાં આવ્યું છે.

મંત્રીઓ હેલિકોપ્ટરથી શિપ પર પહોંચ્યા
INS વિરાટ અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 9માં બીચિંગ થઈ ગયા બાદ અલંગમાં બનાવવામાં આવેલા હેલિપેડ ખાતેથી તમામ મંત્રીઓ જહાજ પર હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા હતા. અને જહાજના ડેક પરથી નિરીક્ષણ કર્યું હતું.

યુદ્ધ જહાજ વિરાટ અલંગ શૈય્યા પર, હવે નામશેષ થશે
વિરાટ જહાજના અંતિમ ખરીદનાર શ્રીરામ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે આ જહાજ ફક્ત જહાજ નથી, પરંતુ સમગ્ર દેશની સંવેદના તેની સાથે જોડાયેલી છે. વિરાટે પોતાના કાર્યકાળ દરમિયાન ભારતીય નૌસેનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. વિરાટ જહાજનો સ્ક્રેપ લેવા માટે દેશની અગ્રણી બે સ્કૂટર કંપનીઓ દ્વારા વાટાઘાટો કરવામાં આવી રહી છે. બીચિંગ માસ્ટર પૂર્વજિતસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, જહાજને બીચિંગ કરાવવા માટે કોઈ ખાસ પ્રયત્નની જરૂર પડી ન હતી છતાં તમામ તકેદારી રાખવામાં આવી હતી. આમ, હવે INS વિરાટ અલંગની શૈય્યા પર નામશેષ થવા જઈ રહ્યું છે.

INS વિરાટની વિગતો:
227.33 મીટર (743 ફૂટ) લંબાઈ.
46.5 મીટર (160 ફૂટ) પહોળાઈ.
52.73 મીટર ઊંચાઈ.
19300 મે.ટન એલડીટી વજન.
28 નોટ દરિયાઈ (52 કિલોમીટર પ્રતિ કલાક)ની સ્પીડ.
મહત્તમ ક્રૂ 2100.
1207 જહાજના ક્રૂ અને 143 એરક્રાફ્ટ ક્રૂ સામેલ હતા.
કમ્પાર્ટમેન્ટ 1236, 13 ડેક.
5,90,113 દરિયાઈ નોટિકલ માઇલની મુસાફરી કરી.
22,622 કલાક ફ્લાઇંગ ઓપરેશન.
ફાઇટર એરક્રાફ્ટ.
સી-હેરિયર.
હેલિકોપ્ટર.
સી-કિંગ, 42 બીસી, ચેતક, કામોવ 31, એએલએચ.
સંસ્કૃતમાં લોગો "જળમેવ યસ્ય બલ મેવ તસ્ય' વિરાટ માટે ઘણું કહી જાય.

INS વિરાટનો લોગો જ ઘણુંબધું કહી જાય છે
ભારતીય નૌસેનાના અતિમહત્ત્વના યુદ્ધ જહાજ INS વિરાટનો મુદ્રાલેખ હતો "જળમેવ યસ્ય બલમેવ તસ્ય', ગુજરાતીમાં તેનો અર્થ થાય છે પૂરી તાકાતથી સમુદ્ર પર રાજ કરવું અને આ લોગો જ ઘણુંબધું કહી જાય છે. 30 વર્ષ સુધી ભારતીય નૌસેનામાં વિરાટ સામેલ હતું અને તેમાં 1207 ક્રૂ-મેમ્બર, 143 એર ક્રૂ-મેમ્બર મળી 1350ના સ્ટાફ માટે 3 મહિના ચાલે તેટલા રેશનનો જથ્થો, પાણીપુરવઠા માટેના ડિસેલિનેશ પ્લાન્ટ સાથે સજ્જ હતું. વિરાટ એક મોટી ટાઉનશિપ જેવું હતું, જેમાં જિમ, લાઇબ્રેરી, હોસ્પિટલ સામેલ હતાં. તેમાં 16 સી-હેરિયર પ્લેન, 4 સી-કિંગ હેલિકોપ્ટરને સામેલ કરાયું હતું. ભારતીય નૌસેનામાંથી વિરાટને સેવા નિવૃત્ત કરવામાં આવ્યા બાદ તેને કોચિન શિપયાર્ડ ખાતે હથિયારો, દારૂગોળો, મશીનરી, રડાર, એન્જિન, પ્રોપેલર કાઢી નાખવામાં આવ્યાં હતાં.