બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

આજે ગાંધી જયંતિએ જાણો ગાંધીજી કેવી રીતે ઉજવતા હતા પોતાનો જન્મદિવસ

દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 102મી જયંતી (Gandhi Jayanti) મનાવવા માટે તૈયાર છે. આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાઓ તરફથી કેટલાક કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. સફાઈથી લઇ અહિંસાના પાઠ સુધી લોકો જુદી-જુદી રીતે બાપૂને યાદ કરતા હોય છે. પરંતુ શુ તમે જાણો છો પોતાના જન્મદિવસે ગાંધી શું કરતા હતા અને કેવી રીતે પોતાનો જન્મદિવસ મનાવતા હતા….?


ગાંધીવાદી રામચંદ્ર રાહી મુજબ લગભગ ગાંધીજી જન્મ ઉજવતા નહતા, પરંતુ લોકો તેમના જન્મદિવસ ઉજવતા હતા. 100 વર્ષ પહેલા ગાંધીજીના નિવેદનોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આજથી 102 વર્ષ પહેલા, જ્યારે વર્ષ 1918માં ગાંધીજીએ તેમના જન્મદિવસની ઉજવણી કરનારાઓને કહ્યું


,


તો પછી પોતાના જન્મદિવસે બે ઓક્ટોબરે બાપૂ શું કરતા હતા?

દેશભરમાં ફેલાયેલી ગાંધીવાદી સંગઠનોની માતૃ સંશ્થા, ગાંધી સ્મારક નિધિના અધ્યક્ષ રામચંદ્ર રાહીએ કહ્યું કે આ એક ગૌરવપૂર્ણ દિવસ હતો, આ દિવસે તેઓ ભગવાનને પ્રાર્થના કરતા હતા, રેંટિયો ચલાવતા અને મોટાભાગે મૌન રહતા હતા. તેઓ કોઈ પણ મહત્વપૂર્ણ દિવસે આ જ રીતે ઉજવણી કરતા હતા.



પરંતુ આજે સરકાર ગાંધી જયંતી (Gandhi Jayanti) પર વિવિધ પ્રકારના સમારોહનું આયોજન કરી રહી છે, ચારે બાજુ હંગામો છે, આખા વર્ષ દરમિયાન કાર્યક્રમો ચાલે છે. આ અંગે રાહીએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે,



તેમણે કહ્યું કે જો સરકાર ખરેખર ગાંધીનો જન્મદિવસ (Gandhi Jayanti) મનાવવા માંગે છે તો તેને ગાંધીના વિચારો ઉપર સમાજને આગળ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. પરંતુ તેના લક્ષણો દેખાતા નથી, વર્તમાન સરકાર ગાંધી અને ગાંધીના જન્મદિવસને સ્વચ્છતા સાથે જોડે છે.