આ એક કામ કરો અને તમારી તમામ મનોકામના પૂર્ણ કરો.જાણો કયુ છે એ કામ....
આજકાલ બધા જ લોકો પોતાની જીંદગી કેવી રીતે સારી બનાવી શકાય અને દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ કેવી રીતે થાય એના નુસખાઓ શોધતા હોય છે . તો એ ઘણા નુશખામાંથી એક નુસખા વિશે જાણીએ.
બ્રાહ્મમૂહુર્ત શબ્દ થી બધા પરિચિત જ હશે. સૂર્યોદય થાય એની 96 મિનિટ પહેલા આ શરુ થાય છે. એની મહત્તમ અસર , શરુ થયાના 48 મિનિટ સુધી રહેતી હોય છે . આ સમય દરમિયાન બ્રહ્માંડ મા શક્તિ નો પ્રભાવ વધુ હોય છે . એ સમયમા જો જાગીને ધ્યાન કરવામા આવે અને કાંઈ પણ માંગવામાં આવે તો એ તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે . આ સમય દરમિયાન જાગવાવાળા લોકોની સંખ્યા ઓછી હોય છે તેથી એ તમામ ઉર્જા તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા તમારી મદદે લાગી જાય છે. જે પ્રકારે એક જ ટાવરની રેંજમા વધુ લોકો મોબાઈલ નો ઉપયોગ કરશે તો નેટવર્કની ઝડપ ઓછી આવશે પરંતુ ઓછા લોકો હશે તો ઝડપ વધુ આવશે . એ જ પ્રકારે બ્રાહ્મમૂહુર્તનુ પણ એવુ જ છે . એટલે જ કોઈકે કહ્યુ છે કે 'વહેલી સવાર એ કલ્પવૃક્ષ છે' .
તો તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા વહેલા જાગવાની શરુઆત કરી દો.