વિભૂતિ કોણ?
શ્રી રામકૃષ્ણ પરમહંસ એ વાતને એક ઉદાહરણ દ્વારા સમજાવતા હતા . પરમ તત્વની પ્રાપ્તિ એ શું હશે ? ભગવાન કેવા હશે ? વગેરે વિષયમાં મનમાં જાગ્રત કુતૂહલનું વર્ણન કરતા તેઓ કહેતા હતા કે ' એક મોટી દિવાલ છે , તેની એક બાજુ સામાન્ય લોકો બાળકોની માફક ખેલકૂદ કરે છે .
કેટલાક લોકોના મનમાં બાળકોની એ રમત જોઈને વિચાર આવે છે કે આમા કોઈ અર્થ નથી . દિવાલની બીજી તરફ શું છે એ જોવું જોઈએ . એટલે તેઓ તેની ઉપર ચઢવાનો પ્રયાસ કરે છે , પરંતુ ચઢી શકતા નથી . દિવાલની તે તરફ જોવા માટે એક છિદ્ર છે , પરંતુ તે એટલી ઉંચાઈ પર છે કે તેમાંથી જોઈ ન શકાય . એટલે કેટલાક લોકો પ્રયાસ કરવાનુ છોડી દે છે .
કેટલાક લોકો છલાંગ મારે છે અને એ છિદ્ર માંથી જુએ છે , પરંતુ અધિક ક્ષમતા ન હોવાને કારણે પડી જાય છે . કોઈ વિરલો જ એવો નીકળે છે જે છલાંગ મારીને છિદ્રની બીજી બાજુએ ચાલ્યો જાય છે , પરંતુ પાછો ફરતો નથી , પરંતુ કેટલાક એવા પણ હોય છે કે જે પેલી તરફ ગયા પછી સ્વેચ્છાએ જ છિદ્ર દ્વારા પાછા ફરી ત્યાનાં પરમ સુખ વિશે અહીંના લોકોના હ્રદય માં આકર્ષણ નિર્માણ કરે છે અને તેની પ્રાપ્તિ માટે તેઓને તૈયાર કરવાનો પ્રયત્ન કરે છે . યુગો યુગોથી અલ્પ સંખ્યામા જે અસામાન્ય પુરુષો ઉત્પન્ન થાય છે તેમને માટે જ પાછા ફરવાનું સંભવ હોય છે . પરંતુ તેમના પાછા આવવાથી આપણને મોટો લાભ થાય છે . '
કેટલાક લોકોના મનમાં બાળકોની એ રમત જોઈને વિચાર આવે છે કે આમા કોઈ અર્થ નથી . દિવાલની બીજી તરફ શું છે એ જોવું જોઈએ . એટલે તેઓ તેની ઉપર ચઢવાનો પ્રયાસ કરે છે , પરંતુ ચઢી શકતા નથી . દિવાલની તે તરફ જોવા માટે એક છિદ્ર છે , પરંતુ તે એટલી ઉંચાઈ પર છે કે તેમાંથી જોઈ ન શકાય . એટલે કેટલાક લોકો પ્રયાસ કરવાનુ છોડી દે છે .
કેટલાક લોકો છલાંગ મારે છે અને એ છિદ્ર માંથી જુએ છે , પરંતુ અધિક ક્ષમતા ન હોવાને કારણે પડી જાય છે . કોઈ વિરલો જ એવો નીકળે છે જે છલાંગ મારીને છિદ્રની બીજી બાજુએ ચાલ્યો જાય છે , પરંતુ પાછો ફરતો નથી , પરંતુ કેટલાક એવા પણ હોય છે કે જે પેલી તરફ ગયા પછી સ્વેચ્છાએ જ છિદ્ર દ્વારા પાછા ફરી ત્યાનાં પરમ સુખ વિશે અહીંના લોકોના હ્રદય માં આકર્ષણ નિર્માણ કરે છે અને તેની પ્રાપ્તિ માટે તેઓને તૈયાર કરવાનો પ્રયત્ન કરે છે . યુગો યુગોથી અલ્પ સંખ્યામા જે અસામાન્ય પુરુષો ઉત્પન્ન થાય છે તેમને માટે જ પાછા ફરવાનું સંભવ હોય છે . પરંતુ તેમના પાછા આવવાથી આપણને મોટો લાભ થાય છે . '