ગોધરા: દશેરા પર્વ નિમિત્તે સમસ્ત ક્ષત્રિય દરબાર સમાજ દ્વારા શસ્રપુજનનો કાર્યક્રમ યોજાયો.
પંચમહાલ જીલ્લામાં દશેરા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી હતી.નવ દિવસ માતાજીના ગરબાનુ સ્થાપન કરીને ગરબા ગાઈને માઇભક્તોએ ભક્તિ આરાધના કરી હતી.દશેરા પર્વની ઉજવણી નિમીત્તે જીલ્લામા ઠેરઠેર શસ્રપુજનનુ આયોજન કરવામા આવ્યુ હતૂ.દશેરાના દિવસે રામજી મંદિર ખાતે દર વર્ષે શસ્રપુજન કાર્યક્રમ રાખવામાં આવે છે.
સમસ્ત ક્ષત્રિય દરબાર સમાજ દ્વારા ગોધરા પાસે આવેલા રામજી મંદિર ખાતે શસ્રપૂજનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.જેમા મોટી સંખ્યામાંથી શહેરા,ગોધરા,સહિત તાલૂકામાંથી ક્ષત્રિય સમાજના યુવાનો-અગ્રણીઓ હાજર રહ્યા હતા.પરંપરાગત પાઘડી-સાફા સાથે આવેલા ક્ષત્રિય સમાજના યુવાનોએ તલવાર સહિતના શસ્રોનુ શાસ્રોક્ત મંત્રોચ્ચાર સાથે પુજન અર્ચન કર્યુ હતુ.
સૌ કોઇ ઉપસ્થિતોએ દશેરાની એકબીજાને દશેરાની શુભકામના પણ પાઠવી હતી.સાથે ક્ષત્રીય સમાજની એકતા આ રીતે જ બનેલી રહે તેવી હાંકલ કરવામા આવી હતી.અન્ય તાલુકાઓ પણ ક્ષત્રીય સમાજ દ્વારા શસ્રપુજનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.