દુનિયામાં મોતની સૌથી વધુ ઝડપ હવે ભારતમાં...કેટલા મૃત્યુ થાય છે કોરોનાથી
દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 64 લાખને પાર થઈ ગયો છે. ગુરુવારે 81,693 નવા દર્દી નોંધાયા અને 78,646 લોકો રિકવર થયા છે. ભારતમાં હવે સંક્રમણથી વધુ મોત થઈ રહ્યાં છે. અહીં સરેરાશ 1100 લોકો દરરોજ જીવ ગુમાવી રહ્યા છે. આ આંકડો 1 લાખને પાર થઈ ગયો છે. તો આ તરફ અમેરિકા અને બ્રાઝિલમાં મોતનો ગ્રાફ ઝડપથી ઘટવા માંડ્યો
ભારતમાં દરરોજ સરેરાશ 1100 લોકો જીવ ગુમાવી રહ્યા છે, કુલ આંકડો 1 લાખને પાર; અત્યારસુધીમાં 63.97 લાખ કેસ, મુંબઈની ઝૂંપડપટ્ટીમાં ચેપ 12% સુધી ઘટ્યો
દેશમાં 24 કલાકમાં 81,693 દર્દી નોંધાયા અને 78,646 લોકો રિકવર થયા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા 63 લાખ 91 હજાર 960 થઈ ગઈ છે, જેમાંથી 53 લાખ 48 હજાર 653 લોકો રિકવર થઈ ચૂક્યા છે, સાથે જ ગુરુવારે 1096 લોકોનાં મોત થયાં છે. કર્ણાટકમાં એક દિવસમાં 10,000 નવા કેસ નોંધાયા હતા. અહીં સંક્રમિતોની સંખ્યા 6.11 લાખ થઈ ગઈ છે. રાજ્યમાં 1.10 લાખ એક્ટિવ કેસ છે, જ્યારે 4.92 લાખ લોકો રિકવર થઈ ચૂક્યા છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com