મંગળવારથી હોસ્પિટલ ચોકથીકેસર-એ-હિન્દ પુલ સુધીનો રસ્તો તમામવાહનો માટે બંધ
સિવિલ હોસ્પિટલ ચોકમાં બની રહેલા શ્રી આર્મ ફ્લાય
ઓવરબ્રિજને કારણે મંગળવારથી હોસ્પિટલ ચોકથી કેસર-
એ-હિન્દ પુલ સુધીનો આખો રસ્તો તમામ વાહનો માટે બંધ
કરવામાં આવશે. આ પહેલાં તા.18 માર્ચે જાહેર નામું
બહાર પાડવામાં આવ્યું હતું જે મુજબ ફક્ત સિવિલ
હોસ્પિટલ ચોકથી ખટારા સ્ટેન્ડ ચોક સુધીનો રસ્તો
વાહનોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો હતો. જો
કે હવે ખટારા સ્ટેન્ડ ચોકથી મોસલી લાઈન સુધી બ્રિજના
પીઅરનું તથા વોલના કામે ખોદાણકામ ચાલું કરવાનું
હોવાથી હોસ્પિટલ ચોકથી કેસર-એ-હિન્દ બ્રિજ
સુધીનોરસ્તો મંગળવારથી વાહનોની અવર-જવર માટે બંધ
કરવામાં આવ્યો છે.
આ માટે કેસર-એ-હિન્દ બ્રિજ તથા પારેવડી ચોક તરફથી
સિવિલ હોસ્પિટલ તરફ આવતાં વાહનો (ફક્ત ટુ વ્હીલર,
થ્રી વ્હીલર)ને અમદાવાદ રોડ ઉપર બેડીનાકા, લોહાણાપરા
મેઈન રોડ થઈ મોચીબજાર ચોક થઈ સિવિલ હોસ્પિટલ
ચોક થઈને ચૌધરી હાઈસ્કૂલ તરફના રોડ તરફ જઈ શકાશે
તેમજ મોચીબજાર ચોકથી ખટારા સ્ટેન્ડ ચોક થઈ રેલવે
સ્ટેશન મેઈન રોડ થઈને જામટાવર ચોક થઈ કલેક્ટર
કકચેરી થઈને જ્યુબીલી બાગ તરફ અવર-જવર કરી
શકાશે.