ધોરાજી: વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં,કપાસ, સોયાબિનના પાકને નુકસાનની ભીતિ
રાજકોટ જિલ્લા ના ધોરાજી ના ગ્રામ્ય પંથક માં વરસાદ
ખેંચાતા જગત નો તાત ચિંતીત બન્યા છે અષાઢી બીજ એ
વાવણી બાદ હજુ સુધી વરસાદ ના વરસતા ખેડૂતો ચિંતિત
બન્યા છે અને કપાસ મગફળી સોયાબીન જેવા પાકો
મુરજાઈ જવાની ભીતિ છે ખેડૂતો નું કહેવું છે કે મોંઘા ભાવ
ના બિયારણ જંતુનાશક દવા સહિત વાવેતર સમયે કરેલ
ખર્ચ પણ માટે પડશે ખેડૂતો નું કહેવું છે કે સિંચાઇ માટે જો
કેનાલ મારફત પાણી છોડવામાં આવે તો પાક બચી શકે
એમ છે ખેડૂતો વરસાદ ની રાહ જોઈ થયા છે પણ વરસાદ
હાથ તાળી આપી ને જતો રહે છે.
છેલલા દૌઢ વર્ષ થી ધોરાજી પંથક ના ખેડૂતો ની હાલત
કફોડી બની ગઈ છે કયારેક અતિવૃષ્ટિ તો ક્યારેક તા કે તે
વાવાઝોડું તો ક્યારેક કોરોના ના કારણે સર્જાયેલ લોક ડાઉન
થી ખેડૂતો ને આર્થિક માર પડ્યો હતો અને ભીમ અજ્ઞારાસ
ના રોજ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો એ હોંશે
હોંશે વાવર્ણી કરી હતી મોંઘા ભાવ ના બિયારણ જંતુનાશક
દવા અને રાસાયણિક ખાતર સહિત મજૂરી ખર્ચ પણ કર્યો
પરંતુ જાણે ધોરાજી પંથક ના ખેડૂતો પર કુદરત રૂઠી હોઈ
એવું લાગી રહ્યું છે વાવણી પૂર્ણ થયા બાદ વરસાદ નથી
વરસ્યો જેના કારણે કપાસ મગફળી અને સોયાબીન જેવા
વિવિધ મલાત મુરઝાઈ જવાની ભીતિ છે ફરી વાવેતર માટે
ખેડૂતો પાસે નાણાં નથી જેના કારણે જગત નો તાત ચિંતીત
બન્યા છે
તોરણીયા ગામ ના ખેડૂતો નું કહેવું છે કે એક તરફ જગત ના
તાત પર સરકાર રૂઠી છે અને બીજી તરફ કુદરત રૂઠી છે ગત
વર્ષ મગફળી અને કપાસ ના તૈયાર થઈ ગયેલ પાક પર
માવઠું થતા કપાસ મગફળી ની તૈયાર થાઈ ગયેલ પાક નું
ધોવાણ થઈ ગયું અને બાદ માં લોક ડાઉન ના કારણે ખેડૂતો
નો તૈયાર થઈ ગયેલ રવિ પાક ના પૂરતા ભાવ ના મળ્યા
માલ ગોડાઉનમાં પડ્યો રહ્યો આં ખેડૂતો છેલ્લા દોઢ વર્ષથી
નુકસાનીનો સામનો કરી રહ્યા છે અને આ વર્ષે વરસાદ
ખેંચાતા જગત નો તાત ચિંતીત બન્યા છે
કૃષિ વૈજ્ઞાનિકો નું કહેવું છે કે વરસાદ ખેંચાતા કપાસ અને
સોયાબીન સહિત ના પાકો ને નુકસાન થવા ની ભીતિ હોઈ
છે ખાસ કરીને ઓછા વરસાદ બાદ મગફળીનું વાવેતર કર્યું
હોઈ તો ઉગાવા માં થોડી પ્રશ્ન ઊભી થાઈ છે અને આવા
ખેડૂતો એ પિયત ના સોસ હોઈ તો ફુવારા પદ્ધતિ થી પિયત
આપવું જોઈ અને ખાસ કરી અને વરસાદ ખેંચાઇ તો
મગફળી માં ઉગ સુક નામનો રોગ આવે છે જેના માટે યોગ્ય
સમયે કૃષિ નિષ્ણાંત ની સલાહ લેવી જોઈ એસ વી ઊંધાડ
કૃષિ વૈજ્ઞાનિક પીપળીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું છે.