અમદાવાદમાં કયાં કયાં બજાર સાંજે 6 વાગ્યા બાદ થશે બંધ...જાણો સમગ્ર વિગત...
શહેરમાં કોરોના સંક્રમણ વધતાંની સાથે ફરી કોર્પોરેશનને સોશિયલ ડિસ્ટન્સ અને બજારો યાદ આવતાં કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરાવવાનું શરૂ કર્યું છે. શહેરના લો-ગાર્ડન વિસ્તારમાં આવેલું ચણિયા-ચોળીબજાર, પાથરણાબજાર બપોરે 12થી 6 જ ચાલુ રાખવા માટે કોર્પોરેશન તરફથી વેપારીઓને જાણ કરવામાં આવી છે.
સાંજે 6 વાગ્યા બાદ લો-ગાર્ડન પાસે એકપણ વેપારી ધંધો કરી શકશે નહીં. સાંજે લો-ગાર્ડનબજારમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા હતા, જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છેલો-ગાર્ડન ચણિયા-ચોળી અને પાથરણાબજાર સાંજે 6 પછી બંધ રહેશે. લો-ગાર્ડનમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા હતા, જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો.
Trending News