બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ભારતીય નોંધણી અધિનિયમ 1908 માં મહત્વના સુધારા સૂચવતું ગુજરાત સુધારા વિધેયક 2020...જાણો...

ખોટા નામે જમીન પચાવી પાડી-બીજાને વેચાણ કરી દેનારા ભૂમાફિયા તત્વોની હવે ખેર નથી. જી હા, ભૂમાફિયાઓ મિલ્કત ધારકોની મિલ્કત હવે છેતરપિંડીથી હડપ નહિ કરી શકે. લેન્ડ ગ્રેબિંગ મામલે ખોટા દસ્તાવેજોથી જમીન પચાવી પાડવી-પાવર ઓફ એટર્નીના દુરૂપયોગથી થતા દસ્તાવેજો સામે હવે કડક હાથે કામ લેવા ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા અડગ નિર્ધાર કરી લેવામાં આવ્યો છે.

 
મિલકતના માલિકી હકની તબદીલી માટે થતા દસ્તાવેજોની નોંધણી માટેના કાયદો ભારતીય નોંધણી અધિનિયમ  1908 માં મહત્વના સુધારા સૂચવતું ગુજરાત  સુધારા વિધેયક 2020, ગુજરાત સરકાર દ્વારા આ ચોમાસુ સત્રમાં રજુ કરી બહાલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય નોંધણી ધારા દસ્તાવેજ રજિસ્ટ્રેશન એકટ ૧૯૦૮ની કેટલીક જોગવાઇઓમાં મહત્વપૂર્ણ સુધારા સુચવતું ગુજરાત સુધારા વિધેયક-ર૦ર૦ વિધાનસભામાં મૂકાયું છે, તે આગામી વિધાનસભા સત્રમાં મંજૂર કરી કાયદો બનશે. 


આ સુધારા વિધેયકને કારણે દસ્તાવેજ નોંધણીની કામગીરી પારદર્શી, સરળ અને ચોકસાઇપૂર્ણ બનાવાશે. ગુજરાતના મિલ્કત ધારકોના, સામાન્ય માનવીના અને ખેડૂતના હક્કોના રક્ષણ માટે ગુજરાતની વિજય રૂપાણી સરકાર દ્વારા પ્રતિબદ્ધતા દાખવવામાં આવી છે. 

 
સુધારા વિધેયક ની અમલાવરી સાથે સામાન્ય નાગરિક જો દસ્તાવેજ કોઇ વકીલ કે દસ્તાવેજ લખનારની મદદ વગર પોતાની જાતે જ ઓનલાઇન દસ્તાવેજને નોંધણી માટે રજૂ કરી શકશે..


ભારતીય નોંધણી અધિનિયમ  1908 - ગુજરાત  સુધારા વિધેયક 2020 ના આવા છે ફાયદા….
1. ભળતી વ્યકિત-ખોટી વ્યકિત દસ્તાવેજ નોંધણી નહિ કરાવી શકે
2. ઇલેકટ્રોનીક માધ્યમથી દાબ-દબાણ કે છેતરપીંડીથી દસ્તાવેજ પર લાગશે રોક
3. દસ્તાવેજ બનાવવાના ખર્ચ  અને સમયની બચત થશે.
4. દસ્તાવેજ નોંધણી માટે રજુ કરતી વખતે પોતે મિલ્કત માલિક હોવાના આધાર-પુરાવા રજુ કરવા પડશે.
5. સાચા મિલ્કત માલિકની ઓળખ સરળ બનશે.
6. સરકારી-જાહેર સંસ્થાની-શૈક્ષણિક સંસ્થા-ધર્માદા ચેરિટેબલ ટ્રસ્ટની મિલ્કત વેચાણ વ્યવહાર માટે અધિકૃત વ્યકિતને સક્ષમ અધિકારીની પૂર્વમંજૂરી આવશ્યક રહેશે.


કાયદાના દુરુપયોગ બદલ થશે આવી અને આટલી સજાખોટી વિગતો આપનાર કે પાવર ઓફ એટર્નીનો દુરૂપયોગ કરનાર કે પછી દાબ-દબાણથી અથવા છેતરપીંડીથી દસ્તાવેજ કરનારને ૭ વર્ષની કેદ-મિલ્કતની બજાર કિંમત જેટલા દંડની કડક સજા થશે.