૩૦મી તારીખથી ત્રણેક દિવસ રાજયના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડવાની શકયતા
અરબી સમુદ્રમાં બંધાઇ રહેલા વરસાદી વાદળોની અસર હેઠળ આ શનિવારને ૩૦મી તારીખથી ત્રણેક દિવસ રાજયના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય તોફાની પવન ફુંકાવાની સાથે ચોમાસાના આગમનની છડી પોકારતા ઝાપટા પડવાની શકયતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ૩૦મી તારીખથી પહેલી જુન દરમિયાન રાજયના વલસાડ, સુરત, ભરૂચ, ભાવનગર, ગીર-સોમનાથ, જુનાગઢ અને પોરબંદર જીલ્લા સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં કલાકના ૩૦ થી ૩પ કિલોમીટરની ઝપડે પવન ફુંકાવાની અને હળવા ઝાપટા પડવાની શકયતા છે. પવનની આ ઝપડ થોડો સમય વધીને કલાકના ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે.