બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

આંધ્રમાં અંધશ્રદ્ધામાં દંપતિએ બે યુવાન દીકરીઓની હત્યા કરી.

દંપતિનું માનવું હતું કે સોમવારથી સતયુગ શરૂ થઇ રહ્યું હોવાથી બંને દીકરીઓ જીવિત થઇ જશે. આંધ પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંધ વિશ્વાસના ચક્કરમાં પડીને દંપતિએ પોતાની બે યુવાન દીકરીઓના પ્રાણા લઇ લીધા. દંપતિએ 22 વર્ષની દીકરીની ત્રિશૂલથી અને 27 વર્ષની દીકરીની ડમ્બેલ્સથી હત્યા કરી હતી. દંપતીનું માનવું હતું કે સોમવારથી સતયુગ શરૂ થતું હોવાથી આ બંને દીકરીઓને મારી નાખવામો આવી હોવા છતાં તેઓ સોમવારે જીવિત થઇ જશે. 

આ ઘટના ચિત્તૂર જિલ્લાના મદનાપલ્લે વિસ્તારમાં બની હતી. હેરાન કરનારી વાત એ છે કે આ પુત્રીઓના માતા અને પિતા બંને ભણેલા છે. આ ઘટના રવિવાર રાતે બની હતી. યુવતીઓના માતા અને પિતા બંને પ્રિન્સિપાલ છે. પિતા એન પુરૂષોત્તમ નાયડુએ પોતાના મિત્રને બંને દીકરીઓની હત્યાની જાણ કરી હતી. 

યુવતીઓની માતા પધ્મજાએ 27 વર્ષની દીકરી અલેખ્યા પર ડમ્બલ્સથી પ્રહાર કર્યા હતાં. ડિવિઝનલ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ(ડીએસપી) રવિ મનોહરી ચારીએ જણાવ્યું હતું કે આરોપી દંપતિની માનસિક સિૃથતિ યોગ્ય નથી. 

તપાસમાં જાણવા મળ્યું હતું કે દંપતિ હત્યા અગાઉ પૂજા પણ કરી હતી. આ ઘટના અંગે દંપતિને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ હતો કે સોમવાર સવારે સૂર્ય નીકળતાની સાથે જ તેમની દીકરીઓ જીવિત થઇ જશે કારણકે આજે કળયુગનો અંત આવ્યો છે અને આવતીકાલથી સતયુગ શરૂ થઇ ગયો છે.  27 વર્ષીય અલેખ્યાએ ભોપાલમાં અનુ સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો હતો જ્યારે 22 વર્ષીય શ્રીદિવ્યાએ બીબીએનો અભ્યાસ કર્યો હતો અને હાલમાં તે સંગીત શીખી રહી હતી.