બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કરણ જોહરે વિવાદિત પાર્ટી અંગે કહી દીધી મોટી વાત, જાણો...

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્સના મામલે થઈ રહેલી તપાસનો વ્યાપ હવે વધી રહ્યો છે. આ મામલામાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ દિપીકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ, એક્ટ્રેસ રકુલપ્રિત સિંહ, ધર્મા પ્રોડક્શનના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ક્ષિતિજ પ્રસાદ અને અનુભવ ચોપરાની શુક્રવારે પૂછપરછ કરી હતી.

 

એનસીબીના ડેપ્યુટી જનરલ સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે અનુભવ ચોપરા અને ક્ષિતીજ પ્રસાદ હજી પણ એનસીબીની ઓફિસમાં જ છે પરંતુ તેમની ધરપકડ કરાઈ નથી. હજી તેઓ અમારી કેદમાં છે અને તેમની ધરપકડ થઈ શકે છે. ક્ષિતીજ પ્રસાદના ઘરમાંથી એનસીબીએ ગાંજો પકડી પાડ્યો હતો.


કરણ જોહરે આખરે તોડ્યું મૌન:

આ દરમિયાન કરણ જોહરે એક નિવેદન જારી કર્યું છે. તેણે કહ્યું હતું કે કેટલાક પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે કે 28મી જુલાઈ 2019ના રોજ મારા ઘરમાં પાર્ટી થઈ હતી અને મેં ડ્રગ્સનું સેવન કર્યું હતું.


મેં 2019માં જ સ્પષ્ટતા કરી દીધી હતી કે આ આરોપ ખોટા છે. હવે હું ફરી એક વાર સ્પષ્ટતા કરવા માગું છું કે આ તમામ અહેવાલો ખોટા અને પાયાવિહોણા છે. મારા ઘરમાં થયેલી પાર્ટીમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સનો ઉપયોગ થયો ન હતો.