રેલ્વેમાં ભોળાનાથ થયા રિઝર્વ: 'ૐ નમ: શિવાય' ના સૂર
વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી ચંદૌલીના રેલવે સ્ટેશન
પરથી 'કાશી મહાકાલ એક્સપ્રેસ' ને લીલી ઝંડી
આપી હતી. આ ટ્રેન કાશી વિશ્વનાથની નગરી વારાણસીથી ઈન્દોર સુધી દોડશે. 'કાશી મહાકાલ' એક્સપ્રેસ ત્રણ જ્યોતિર્લિંગ (બાબા વિશ્વનાથ, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર) ની યાત્રાને જોડશે. ખાસ વાત એ છે
કે મહાકાલ બાબા માટે ટ્રેનમાં સીટ પણ બુક કરાઈ હતી. એટલું જ નહીં, રેલ્વે અધિકારીઓનું કહેવું છે કે અમે આ બેઠક
આગળ પણ ભગવાન શિવ માટે રીઝર્વ રાખવાનો પ્રયત્ન કરીશું.
રેલવેના ઇતિહાસમાં પ્રથમ વખત
'કાશી મહાકાલ એક્સપ્રેસના' કોચ B/5 માં ભગવાનની મુર્તીને સીટ નંબર 64 પર ખૂબ જ શણગાર સાથે
મૂકવામાં આવી હતી. ભારતીય રેલ્વેના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે જેમા બાબા મહાકાલ માટે ટ્રેનમાં
સીટ અનામત રાખવામાં આવી. આપને જણાવી દઈએ કે આ ટ્રેન રવિવારે વારાણસીથી ઈન્દોર જવા માટે રવાના થઈ છે.
'ૐ નમ: શિવાય' ના સૂર
વારાણસી અને ઇન્દોર વચ્ચે અઠવાડિયામાં ત્રણ વખત ચાલનારી આ ટ્રેન ભક્તિના નરમ અવાજ સાથે સંગીતની ધૂન વગાડાશે. રવિવારે ટ્રેનમાં 'ૐ નમ: શિવાય' ની ધૂન વગાડી હતી. ટ્રેનના દરેક કોચમાં બે ખાનગી ગાર્ડ હશે અને મુસાફરોને શાકાહારી ભોજન પીરસવામાં આવશે.
દેશની ત્રીજી ખાનગી ટ્રેન
આ દેશની ત્રીજી ખાનગી ટ્રેન છે.આ ટ્રેનનું સંચાલન ભારતીય રેલ્વેના IRCTC દ્વારા કરાશે.
ભોલેની બેઠક પર રાજકારણ