પંચમહાલ:-કોરોના બીમારીમા અવસાન થયેલા શિક્ષકના પરિવારજનોને ધારાસભ્ય દ્વારા ચેક અપાયો
હાલોલ
છાજ દિવાળી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકશ્રી સ્વ. મહેશકુમાર વાડીલાલ વરીઆ નું કોરોના બીમારી હોવાના કારણે દુઃખદ અવસાન થતા શિક્ષણના નિયમોનુસાર આજે હાલોલ તાલુકા પંચાયત ખાતે કાર્યક્રમ દરમ્યાન તેમના આશ્રિત ગં.સ્વ. અંજનાબેન મહેશકુમાર વરીઆ ને અંકે રૂપિયા 7,72,200/- નો ચેક માન. મંત્રી જયદ્રથસિંહજી પરમાર સાહેબશ્રી ના હસ્તે આજ રોજ અર્પણ કરવામાં આવ્યો.