મધ્યપ્રદેશમાં મંત્રી મંડળનું વિસ્તરણ, 20 કેબિનેટ અને 8 રાજ્ય મંત્રી લઈ રહ્યા છે શપથ, જાણો કોણે મળ્યું સ્થાન...
મધ્યપ્રદેશના રાજકારણમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા હુંસાતુંસીમાં આજે નવો વળાંક આવી શકે છે. એક લાંબા વિચાર મનોમંથન બાદ આજે ગુરુવારે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરશે. ભોપાલ ખાતે આજે લગભગ 24 મંત્રીઓ શપથ ગ્રહણ કરશે.
ઇમારતી દેવી, પ્રભુરામ ચૌધરી અને પ્રદ્યુમન સિંહ તોમરે કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ, ભાજપ ધારાસભ્ય યશોધરા રાજે સિંધિયાએ કેબિનેટ મિનિસ્ટર તરીકે શપથ લીધા.
એમપીમાં આજે 20 કેબિનેટ અને 8 રાજ્યમંત્રી લઈ રહ્યાં છે શપથ લઈ રહ્યાં છે.ભાજપમાં એમપીમાં બે ગૂટ છે. જેમાં શિવરાજ અને સિંધિયાએ પોતાના સમર્થકોને મંત્રીપદ માટે એડિચૌટીનું જોર લગાવ્યું છે. આજના મંત્રીમંડળમાં 11 ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળી રહ્યું છે.
જાણો કોને મળ્યું મંત્રી મંડળમાં સ્થાન?