ગિરનારની પરિક્રમા કરનાર લોકો માટે રાહત ના સમાચાર..હવે આ યાત્રા કરવી થશે સહેલી...
જૂનાગઢ ગિરનાર રોપવે પ્રોજેક્ટ પૂર્ણતા ના આરે ગિરનાર ની સફર કરવા આવતા લોકો માટે ખુશી ના સમાચાર
જૂનાગઢ વાસીઓ નું સપનું થયું સાકાર ગિરનાર ની યાત્રા કરવી બનશે સરળ ગિરનાર રિપવે પ્રોજેકટ પૂર્ણ થવા ના આરે ત્યારે જૂનાગઢ વાસીઓ માં છે ખુશી નો માહોલ. વાત કરવામાં આવે જુનાગઢ ની તો જૂનાગઢ શહેર નજીક આવેલ છે ગિરનાર પર્વત જે પૌરાણિક રેવતક પર્વત ના નામ થી પણ ઓળખાય છે.
જ્યાં દર વર્ષે ગિરનાર ની પવિત્ર યાત્રા નું આયોજન દેવ દિવાળી ના સમય દરમિયાન થાય છે અહીં દેશ અને વિદેશ થી લાખો ની સંખ્યા માં યાત્રાળુઓ આવે છે તેમજ દર વર્ષે શિવ રાત્રી નો ભવ્ય મેળો પણ યોજાય છે. ત્યારે હવે ગિરનાર પર્વત પર ઉડન ખાટલો એટલે રોપવે નું નિર્માણ થઇ રહીયું છે જે ટુક સમય માં પૂર્ણ થવાનું છે ત્યારે જૂનાગઢ પંથક ની પ્રજામાં અનેરો આનંદ દેખાય રહીયો છે આપ આ ગિરનાર પર્વત પર નિર્માણ પામી રહેલા પ્રોજેક્ટ ના પ્રથમ દ્રષ્યો નિહાળી રહિયા છો