રિલાયન્સ ફાઉન્ડેશનના અઘ્યક્ષ નીતા અંબાણીએ કોરોના વેકસીનને લઈને આપ્યા મહત્વના સમાચાર
રિલાયન્સ ફાઉન્ડેશનના ઇતિહાસમાં પહેલીવાર નીતા અંબાણીએ એન્યુઅલ જનરલ મિટિંગ માં સંબોધન કર્યું અને જણાવ્યું કે કોરોના મહામારી હજુ બાકી છે, આ મહામારીમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને સ્થાનિક મ્યુન્સીપલ ઓથોરીટી સાથે મળીને કામ કરી રહી છે.
નીતા અંબાણીએ જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટ સાથે મળીને કોરોના પરિક્ષણ ની દિશામાં ખૂબ ઝડપથી કામ કરી રહ્યું છે.આ કામમાં જીઓના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઘણી મદદ મળી રહી છે.તમને જણાવી દઈએ કે નીતા અંબાણી રીલાયન્સ ફાઉન્ડેશન ના અધ્યક્ષ છે.
કોરોના વેકસીન ને લઈને નીતા અંબાણીએ જણાવ્યું હતું કે અમે તમને ખાતરી આપીએ છે કે જ્યારે વેકસીન આવશે ત્યારે દેશનાદ દરેક લોકો સુધી પહોંચાડવા માટે જીઓ ના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નો ઉપયોગ કરીશું અને જેથી કરીને આપના સુધી જલ્દી પહોચી શકે. અને જલ્દી થી આપ રિકવર થઈ જાવ