એન્જિનિયરિંગ નહીં કિચનમાં લાગતું હતું મન:ઘરના ગેરેજમાંથી નેચરલ મસાલા બનાવી ઓનલાઈન વેચ્યા, લાખોમાં ટર્નઓવર, અમેરિકા-કેનેડાથી પણ મળ્યા ઓર્ડર.
પ્રોડક્ટ્સ 100 ટકા નેચરલ હોય છે, દરેક વસ્તુઓ ઘરની જ વાપરીએ છીએ, મસાલા માટેનો સામાન પણ ગામમાંથી મગાવીએ છીએ, જેથી ભેળસેળ ન થાય.
સ્નેહાની કંપનીમાં 7 લોકો કામ કરે છે, દર મહિને 1000 પ્રોડક્ટ્સ સેલ થાય છે, તે હાલમાં 50થી વધુ પ્રકારનાં પ્રોડક્ટ્સ બનાવે છે.
બેંગ્લુરુમાં રહેતી સ્નેહા સિરિવરાએ કમ્પ્યુટર સાયન્સમાંથી એન્જિનિયરિંગ કર્યું છે. એક આઈટી કંપનીમાં તેને જોબ પણ મળી હતી. સારીએવી સેલેરી હતી, જોકે તેનું મન નોકરી કરવામાં લાગતું ન હતું. તે પોતાનો બિઝનેસ શરૂ કરવા માગતી હતી. એક વર્ષ પછી તેણે નોકરી છોડી દીધી અને પોતાના ઘરેથી જ સાઉથ ઈન્ડિયન મસાલાનો બિઝનેસ શરૂ કર્યો.
આજે દર મહિને 1 હજારથી વધુ મસાલાઓનાં પેકેટ્સ વેચે છે, ભારતની સાથે સાથે અમેરિકા અને કેનેડામાં પણ પ્રોડક્ટ્સ સપ્લાઈ કરે છે. એનું હાલનું ટર્નઓવર વર્ષે 20 લાખ રૂપિયા જેટલું થાય છે. સ્નેહા કહે છે, મારા કેટલાક સંબંધીઓ બીજાં રાજ્યોમાં રહે છે, તેમની એક સતત ફરિયાદ રહેતી હતી કે તેમને સાઉથ ઈન્ડિયન મસાલા મળતા નથી. ક્યાંક કોઈ સ્ટોર કે દુકાનોમાં કેટલાક મસાલાઓ મળી જાય તો એમાં બરાબર સ્વાદ કે સુગંધ હોતાં નથી.
સ્નેહા કહે છે, લોકડાઉન દરમિયાન ફિલ્ટર કોફીની ડિમાન્ડ ખૂબ રહી. લોકો એને વધુ પસંદ કરે છે.
એ પછી મેં ઘરે જ મસાલા તૈયાર કર્યા અને એનાં કેટલાંક પેકેટ્સ તેમને કુરિયરથી મોકલ્યાં, જે તેમને ખૂબ જ પસંદ આવ્યાં. પછીથી બીજા લોકો પણ મારી પાસે મસાલાની ડિમાન્ડ કરવા લાગ્યા. ત્યારે મને લાગ્યું કે આ ફિલ્ડમાં મારે બિઝનેસ શરૂ કરવો જોઈએ. 2013માં મેં નોકરી છોડી દીધી.