પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન,ટ્વિટ દ્વારા પુત્ર અભિજીત એ આપી જાણકારી.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયું છે. 84 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું. તેમના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વીટ કરીને પ્રણવ મુખર્જીના નિધન અંગે જાણકારી આપી.તેમને ફેફસાંમાં સંક્રમણના કારણે ગંભીરરૂપથી કોમામાં હતા. આર્મી હોસ્પિટલમાં વિશેષજ્ઞ ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની દેખભાળ કરી રહી હતી.તેમના નિધન થી ભારતે એક વિદ્વાન રાજનેતા ગુમાવ્યા છે. દેશને એક મોટી ખોટ વર્તાશે. ત્યારે સમગ્ર જનમાનસ પર શોક વ્યાપ્યો છે.