સંતરામપુરના વિવિધ વિસ્તારોમા ધનવંતરી આરોગ્ય રથ દ્વારા ૫૩ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા...
લુણાવાડા: કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર શ્રી આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા- તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
આમ છતાં પણ હજુ નાગરિકો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા જેથી નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તેમજ કોરોના વાયરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુથી સંતરામપુરના વિવિધ વિસ્તારોમા ધનવંતરી આરોગ્ય રથ દ્વારા ૫૩ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આરોગ્ય કર્મીઓ દ્વારા તમામને સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્કની ઉપયોગીતા અને સેનેટાઇઝરના ઉપયોગ વિશે માહિતી આપી હતી.