બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9ની તમામ શાળાઓ 5 એપ્રિલથી બંધ

  • સોમવારથી ધોરણ 1થી 9ની શાળાઓ બંધ રહેશે
  • ધોરણ 1થી 9ની સરકારી અને ખાનગી શાળાઓ બંધ
  • 5 એપ્રિલથી આગામી આદેશ સુધી શિક્ષણ કાર્ય બંધ
  • સમગ્ર રાજ્યમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય
  • કોરોનાના વધતા સંક્રમણને પગલે લેવાયો નિર્ણય
  • રાજ્યની શાળાઓને સૂચનાની અમલવારીનો આદેશ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ ની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9ની તમામ શાળાઓમાં  સોમવાર 5 મી એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે.

રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ ને આ સૂચનાઓ નો અમલ કરવાનો રહેશે મુખ્યમંત્રી વિજય  રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓ ના વ્યાપક હિત અને કોરોના  સંક્રમણ નિયંત્રણ ના ઉદ્દેશ્ય થી આ નિર્ણય કર્યો છે