ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9ની તમામ શાળાઓ 5 એપ્રિલથી બંધ
- સોમવારથી ધોરણ 1થી 9ની શાળાઓ બંધ રહેશે
- ધોરણ 1થી 9ની સરકારી અને ખાનગી શાળાઓ બંધ
- 5 એપ્રિલથી આગામી આદેશ સુધી શિક્ષણ કાર્ય બંધ
- સમગ્ર રાજ્યમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય
- કોરોનાના વધતા સંક્રમણને પગલે લેવાયો નિર્ણય
- રાજ્યની શાળાઓને સૂચનાની અમલવારીનો આદેશ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ ની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9ની તમામ શાળાઓમાં સોમવાર 5 મી એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે.
રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ ને આ સૂચનાઓ નો અમલ કરવાનો રહેશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓ ના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણ ના ઉદ્દેશ્ય થી આ નિર્ણય કર્યો છે