બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કર્ણાવતી મહાનગરના બહેરામપુરા વોર્ડમાં સંસદસભ્ય નરહરિ અમીનની વિશેષ ઉપસ્થિતિમાં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો

આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપા સરકારની સેવાના સાત વર્ષ પૂર્ણ થવાના અવસર પર કર્ણાવતી મહાનગર ના બહેરામપુરા વોર્ડ માં શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) ની વિશેષ ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો. સેવાયજ્ઞ કાર્યક્રમ અંતર્ગત આજરોજ કોરોના મહામારીમા જરૂરિયાતમંદ પરિવારોને કીટોનું વિતરણ નરહરિ અમીન (સંસદસભ્ય,રાજ્યસભા) ના સહયોગ થી કરવામાં આવ્યું હતું. જેમાં 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને ૧ કિલો તુવેરની દાળ ની કીટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે કર્ણાવતી મહાનગર ભાજપ પ્રમુખ શ્રી અમિતભાઇ શાહ,  પ્રદેશ મંત્રી મહેશભાઈ કસવાલા, પ્રદેશ સહ કોષઅધ્યક્ષ ધર્મેન્દ્રભાઇ શાહ, પૂર્વ મંત્રી ગીરીશભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ,પ્રભારી જયશ્રીબેન પટેલ ઉપસ્થિત રહેલ.